SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ અંગત સુખમાં રાચવું, તેમ કરતાં અન્યને દુ:ખ પડે છે તેનો વિચાર ન કરવો, પોતાની ઇચ્છા મુજબ વર્તવું તે અવિવેક છે; સ્વછંદ છે. પરમાર્થથી વિચારીએ તો અજ્ઞાનમય અવસ્થામાં વર્તવું, જિનાજ્ઞાનું માહાત્ય ન હોવું, કેવળ અધમ વૃત્તિઓનું પોષણ કરવું તે અવિવેક છે. મને માનવજીવન મળ્યું છે, તે ગુણોથી શોભે છે, તેવા ગુણોને તો તે જાણતો નથી, અહંકારમાં અટવાતો પોતાનું જ અહિત કરે છે. સર્વોચ્ચ હિતકારી એવા સમસ્ત વિશ્વવત્સલ પરમાત્માની મંગળ ભાવના છે કે વિશ્વના જીવો પૂર્ણ સુખ પામો. કથંચિત જીવમાત્રનું ગજું આટલું વિશ્વવ્યાપક ન હોય, સર્વોચ્ચ તત્ત્વને સમર્પિત થઈ પ્રથમ ભલે તું તારું સ્વહિત કરી લે. પછી તને તેમાં સુખ લાગે તો સર્વ જીવોના સુખની ભાવના કરજે. વ્યક્તિ ફક્ત પોતાના સુખમાં જ રાચે છે તેની વ્યક્તિગત ઇચ્છા વિશ્વહિતની ઇચ્છાના વ્યાપને ટકરાઈને પાછી વળે છે અને પોતાનું જ અહિત કરે છે. પરંતુ નિસ્પૃહભાવે સર્વના હિતની કરેલી ઇચ્છા વિશ્વેચ્છા સાથે ભળીને તારા હિતને ચિરસ્થાયી બનાવે છે. આ સર્વેમાં ધર્મની મુખ્યતા છે. મને જ સુખ મળો એ ઇચ્છા માત્ર અધર્મ છે. ધર્મનો પ્રારંભ ક્યાંથી કરવો ? વીતરાગની પ્રણાલિમાં શ્રમણ સંસ્કૃતિનું પ્રાધાન્ય છે, સાધુ ન થવાય તો શ્રાવક રહેજે, આ આદર્શ છે. સાધુ જન્મતા નથી. જન્મીને પ્રથમ ગૃહસ્થ બને છે. આથી ગૃહસ્થને ધર્મનો પ્રારંભ દાનધર્મથી બતાવ્યો. દાન એટલે કંઈ આપવું એટલું પર્યાપ્ત નથી, પરંતુ અન્યનું દુઃખ દૂર કરવું, સુખ આપવા પ્રયત્ન કરવો. છતાં સૌની સાથે મૈત્રીભાવ રાખવો, લેનારો નીચો અને આપનારો ઊંચો એવો ભેદ પ્રભુના માર્ગમાં નથી. સાધુ છકાય જીવની રક્ષા વડે અભયદાન રૂપી ધર્મ પાળે છે. ૦ ધર્મવૃક્ષનાં ફળ ૦ ઔદાર્ય (ઉદારતા) દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મળ બોધ, જનપ્રિયતા સમ્યકત્વનાં પાંચ લક્ષણ જેવા શ્રાવકના આ પાંચ ગુણો છે. જેના અંતરમાં ધર્મ છે તેના જીવનમાં આ ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. ઔદાર્ય - ઉદારતા ઉદારતા પ્રેમપૂર્વક કંઈક આપવું. વળી આપવા છતાં પણ હજી ધર્મપરિચય - ધર્મની યથાર્થતા ૪ ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy