SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવવાની માંગ થાય છે તે અતૃપ્તિની માંગ છે. જેને દરિદ્રતા વરી છે તેને પણ કંઈ મેળવ્યું છે, તે વસ્તુના અભાવમાંથી ઊભી થયેલી માંગ છે. આથી એમ સમજાય છે. ભિખારી જ ભિખારી છે તેવું નથી પણ રાજા-મહારાજા સૌ ભિખારી છે, ત્યાગી-વૈરાગી પણ ભૂલ ખાઈ જાય જો અંતરમાં માંગ પડે તો. રાજા-શેઠ સૌ મંદિરમાં જઈને વધતી સામગ્રીની માંગ કરે છે, ભિખારી દરવાજે દીનદશાથી માંગે છે. આમ સૌ માંગે છે. આથી જ્ઞાની પુરુષો કહે છે, માંગ, ઇચ્છાઓનો ત્યાગ-નિરોધ ક. છતાં ઇચ્છા વગર ના રહેવાય તો પરમાર્થની ઇચ્છા કરજે. જેમાંથી પૂર્ણત્વનું અમીઝરણું વહેતું થશે. પછી અતૃપ્તિ અને અભાવ બંને ટળી જશે. સર્વ સિદ્ધિનો સ્વામી સ્વયં તું જ છે. તેમાં તારું સન્માન છે. સાધન-સામગ્રીનો અભાવ દરિદ્રતા છે, પરંતુ વસ્તુ હોવા છતાં વધુ મેળવવાની ઈચ્છા, અતૃપ્તિ એ ભયાનક દરિદ્રતા છે. જીવનની જરૂરિયાત સિવાય જેને કંઈ મેળવવાની ઇચ્છા નથી એ જરૂરિયાત પણ સંતાપયુક્ત નથી. તે મનુષ્યને અમીર બનાવે છે. તમારી ગરીબી અને અમીરી તમારા મનમાં પડી છે. અર્થાત્ કલ્પનામાં પડી છે. તે તમને મળેલા મહા જીવનની કિમતી ક્ષણોને વ્યર્થ બનાવે છે. ઇચ્છા શાંત કેમ થાય ? આત્મા કે પરમાત્માના ધ્યાન વડે ઇચ્છા શાંત થાય છે. પરમાત્માના ગુણોનું કીર્તન જ એવું છે, જે તને આત્મપરાયણ બનાવે છે, તેથી ઇચ્છાઓનો અંત આવે છે. પરમાત્માના આદર, સન્માન દર્શનથી આત્મદર્શન સુલભ થતાં મિથ્યાદર્શન ટળી જાય છે. તેની સાથે ઇચ્છાઓ શમી જાય છે. ૦ આત્મદર્શન-તત્ત્વદર્શન ૦ આત્મદર્શન એટલે સ્વ-પરિચય. તત્ત્વદર્શન : આત્મા તત્ત્વરૂપ છે. તેનું તાત્ત્વિક દર્શન. આથી આત્મતત્ત્વ આપણને અભિપ્રેત છે. પરંતુ મિથ્યાત્વાદિ દોષ, કષાયાદિ દોષો, પ્રમાદાદિ દોષો, અઢાર પાપજનિત દોષો સહિત આત્મદર્શન કે તત્ત્વદર્શન થતું નથી. પ્રારંભની સાધનામાં ભલે પાપ-પુણ્યનું કે શુભાશુભભાવનું મિશ્રણ હોય પણ શ્રદ્ધામાં તો આશ્રવાદિ દોષ હેય અને સ્વરૂપલક્ષી ગુણો ઉપાદેય છે. આથી શ્રાવકને ઉચિત ગુણો, માર્ગને Jain Education International ૪૨ * શ્રુતસાગરનાં બિંદુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy