SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તની પરિપક્વ અવસ્થા છે. ત્યારપછી આત્મપુરુષાર્થ સાચી દિશાનો બને છે. વળી મુક્તિ માટેના પરમ પુરુષાર્થ માટે આત્મજ્ઞાન જ અમોઘ સાધન છે. આત્મજ્ઞાન સ્વ-આશ્રયી હોવા છતાં તેની પ્રાપ્તિ માટે જે આત્મારામ છે, નિષ્કામી છે, વૈરાગ્યવાસિત છે તેવા મહાત્માઓની નિશ્રા, આજ્ઞા અત્યંતાવશ્યક છે. પણ આ આત્મજ્ઞાન તો અમારા માટે દૂરનું છે, અમારી ભૂમિકામાં આ તત્ત્વની પાત્રતા આવે તેવું કેમ બને ? સાંભળ, પ્રથમ તો તું ગૃહસ્થ ધર્મના નિભાવવાળો છું. તેમાં દાનની આવશ્યકતા છે, તે ધન, ન્યાયસંપન્ન હશે તો જેવું ધન તેવું તું અન્ન કે અન્ય વસ્તુ મેળવી શકીશ. માટે પ્રથમ જીવનમાં સદાચારી થવું જેથી ધર્મની ભાવના ટકી શકે. ધન છે તો દાનને સાથે રાખો, તન છે તો સત્પુરુષોની સેવા કરો, મન છે મૈત્રી જેવી સંભાવના કેળવો. વળી સાથેસાથે તપ, વ્રત, જપ, સત્સંગ, શાસ્ત્રબોધ અને પ્રભુસેવા વડે જીવનને ઊર્ધ્વગામી બનાવવા નિરંતર પ્રયાસ કરો. અમૂર્ત એવું ચૈતન્ય જ આપણે છીએ, અર્થાત્ આપણે દેશ્યની ઉપાધિરહિત ચૈતન્ય છીએ. એ જ પૂર્ણ છે, તે સિવાય પૂરું વિશ્વ અપૂર્ણ છે. એ પરમ તત્ત્વનો સ્વીકાર આત્માનું અનુસંધાન કરાવશે. ‘તમે ચૈતન્ય હું ચૈતન્ય. સઘળા પ્રાણીમાત્ર ચૈતન્ય છે.' આવી કુશાગ્ર બુદ્ધિ જ ઉપદેશના સારને ગ્રહણ કરશે, પછી તમે સ્વયં સારભૂત આત્મત્ત્વને પામશો. અંતરદૃષ્ટિ : આત્મતત્ત્વનો સ્પર્શ અંતરદષ્ટિ વડે થાય છે. આ અંતરદષ્ટિ શું છે ? દશ્યજગતને જોવા ચર્મચક્ષુ છે, તે તમે જાણો છો. અદશ્ય જગતને જોવા જ્ઞાનચક્ષુ તે અંતરદૃષ્ટિ છે. એ અંતરની શુદ્ધતમ દશામાં અનંત શાંતિ અને શક્તિરૂપે પરમાત્મા – શુદ્ધાત્માનો વાસ છે, અર્થાત્ તમે સ્વસ્વરૂપે ત્યાં છો, તમારું એ શાશ્વત સ્થાન છે. તે કેમ અનુભવાતું નથી ? કારણ કે આપણી અંતરશક્તિ બહારના પદાર્થોમાં એકાકાર થઈ ગઈ છે તેથી આપણો સંબંધ સ્વરૂપ સાથે થતો નથી. “પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ” દેશ્યપદાર્થોના રંગ, રૂપ ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે કારણ કે તે સ્વયંભૂ અને અવિનાશી નથી. વિનાશી છે, તેથી તેનું કંઈ જ મૂલ્ય સ્વસ્વરૂપમય મોક્ષ – મોક્ષમાર્ગ * ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy