SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કે મિત્ર નથી, પક્ષપાતી કે વિરોધી નથી. સહન કરવાનો વિકલ્પ નથી. સઘળા મહાપુરુષોએ આ રીતે સને પ્રગટ કર્યું હતું. ભલે તે પ્રગટ થતાં સમય જાય, કાળ પાકે તેની રાહ જોવી પડે. પરંતુ સત્ પ્રગટ થયા વગર રહેતું નથી. પ્રારંભમાં કદાચ મન મૂંઝાય પરંતુ શ્રદ્ધાબળે એ સમયે મૌન રાખી, ધીરજ કર્તવ્ય છે. મૌન રાખવાથી પોતાના વિચારોને સમાં ટકવાનો, પરિપક્વ થવાનો સમય મળે છે. અને સામી વ્યક્તિને પણ વિચાર કરવાની તક મળે છે. આમ મૌન, ધીરજ, સહિષ્ણુતા સ્વ-પર શ્રેયકારી છે. - સત્યના આગ્રહીને પણ જો ધીરજ કે સહિષ્ણુતા નહિ હોય તો તે સાચું કહેવામાં પણ ઊછળી પડશે. અન્યની ભૂલ બતાવવા આવેગમાં આવી જશે. વળી મહદ્ અંશે કોઈ પોતાની ભૂલ કબૂલ કરતું નથી. તેથી વ્યક્તિ સામાની ભૂલને સમજાવી શકતી નથી ને આવેશમાં આવીને જે કંઈ બોલાઈ જવાયું તેનો પસ્તાવો પોતાને જ કરવાનો રહે છે, માટે ધીરજ રાખવી, મૌન રાખવું, અને સમયની રાહ જોવી, એ સાધક માટે લાભદાયી છે. ૦ શિવ સંકલ્પમસ્તુ છે ? ઘણી વાર માનવ અન્યને માટે ખોટી કલ્પનાઓ કરી મૂંઝાય છે. એટલે શુભ સંકલ્પનું બળ વધતું નથી. પોતે આનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા ન હોવાથી તે અશુભ કલ્પનાને પનારે પડી પસ્તાય છે. બીજી બાજુ પોતામાં ક્ષુદ્રતા રહેલી છે તે સ્વીકારતો નથી તેથી અહંકાર જીવે છે. આમ મનની દશા કેવળ નિરર્થક કલ્પનાવાળી હોય છે તે સમજાય છે. આથી મહાપુરુષો મનને શુભ સંકલ્પવાળું કરવા કહે છે. શિવસંકલ્પ એ કલ્યાણનો - પરમાર્થનો પંથ છે. તે પંથ સત્સંગાદિથી પ્રહણ થાય છે. જાગૃતપણે, દઢ મનોબળથી મનને વારંવાર શુભ સંકલ્પમાં યોજવું. જેથી અશુભ સંસ્કારોનું બળ ઘટી જાય છે. અંતઃકરણ શુદ્ધ થતાં શક્તિ અને પ્રગતિ વધે છે. પરંતુ પૂર્વના વિપરીત સંસ્કારો, આ જન્મમાં જીવનનાં થયેલા અવમૂલ્યનને કારણે જીવને પોતામાં રહેલી શુધ્ધતા સમજાતી નથી. જગતના પદાર્થોના વિષયોનું આકર્ષણ તેને પેદા થાય છે. પરંતુ દેઢ મનોબળ વડે કાચ અને હીરાની ઓળખાણ થયે કાચનો ટુકડો છૂટી જાય છે, તેમ જીવને પદાર્થોની તુચ્છતા જણાય છે, ત્યારે તેને વિશ્વાસ માનવજીવન ઉત્તમ છે * ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy