SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ “ઉચ્ચ વસ્તુઓના જ્ઞાનમાત્રથી ઉચ્ચ બનાતું નથી, પરંતુ ઉચ્ચ પ્રકારની ભૂમિકા અભિરુચિ કેળવવાથી ઉચ્ચ બનાય છે. અભિરુચિ તરફ દુર્લક્ષ્ય કરીને હકીકતોના ઢગલાને જ્ઞાન કહેવાથી એ ઢગલા પર બેસીને સર્પની જેમ ફૂંફાડા મારનારને કેળવાયેલો માનવાની એક પ્રથા પડી છે. તેની પાછળ વિચાર નથી. જ્ઞાનમાં રહેલા રસને ચાખી શકવાની જેનામાં શક્તિ નથી. તેને જ્ઞાની કહેવાને બદલે શુષ્ક જ્ઞાની કહેવો વધુ યોગ્ય છે.” પ્રકૃતિની વિચિત્રતાને કારણે માનવના વ્યક્તિત્વમાં પણ વિચિત્રતા હોય છે. વળી મોટા ભાગે આચારવિચારમાં અસતુનું પ્રમાણ વધુ હોવાથી તેમાં સને આધારે જીવવું કઠણ પડે છે. છતાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેને ઉત્તમ જીવન જીવવું છે તેણે સહિષ્ણુતા કેળવવી પડશે. અનેક પ્રકારની પ્રકૃતિવાળી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થાય છે, ત્યારે અન્યની પ્રકૃતિને ફેરવવાનું કાર્ય મુશ્કેલ બને છે. એટલે પડોશીને પતિ-પત્નીને કે પુત્રાદિને ફેરવવાને બદલે પોતે જ ફરવું જરૂરી બને છે. પરંતુ સ્વનું મન પણ પુરાણી આદતો ત્યજીને કંઈ એકાએક બદલાઈ જશે તેવું બનતું નથી. 9 ત્યારે શું કરવું ? 9 ભાઈ ! તેં ઉત્તમ જીવન જીવવાનો પુણ્યયોગે શુભ સંકલ્પ કર્યો છે. આત્મમંથન અને આત્મસંશોધન દ્વારા તે નક્કી કર્યું છે કે મારે પરમાર્થ માર્ગે જવું છે. તેથી અન્ય વ્યક્તિ તને અણગમતું બોલે ત્યારે તારા પક્ષે તારે તો સહિષ્ણુતા રાખવી પડે. કદાચ તારી વાત સાચી હોય તો પણ ધીરજ રાખવી. અંતે સત્ પ્રગટ થશે તે સામી વ્યક્તિને પણ પ્રકાશ આપશે. શ્રી બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. વિરોધ પક્ષની કોઈ વ્યક્તિએ અપશબ્દોની ઝડી વરસાવી. શ્રી બુદ્ધને શબ્દભેદ ન હતો કે અમુક શબ્દો ગમે અને અમુક શબ્દો ન ગમે. તેમની મુખમુદ્રા પ્રસન્ન હતી. પેલો માણસ થાક્યો. શાંતિથી બેઠો, પરંતુ તેના મન પર પેલા મૌને અજબ અસર કરી. તે બુદ્ધનો શિષ્ય થઈ ગયો, પછી તો તે સ્વયં સને પ્રકાશિત કરવા લાગ્યો. બુદ્ધને સહન કરવાની શું જરૂર હતી ? બુદ્ધને જે જ્ઞાન લાગ્યું તે અભેદ હતું. તેમાં રહેલું સત્ તેમને પ્રગટ કરવું હતું. જે પ્રગટ કરવાનો એ અવસર હતો કે જ્ઞાનીને કોઈ ઊંચ કે નીચ નથી. શત્રુ ૧૮૦ ૪ શ્રતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy