SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસ શક્ય નથી, તેમ મનને ખોટી રીતે દમવાથી સંસારસમુદ્રને પાર કરવો શક્ય નથી. તેજવાન ઘોડાને લગામ વડે વશ રખાય મારીને મુડદાલ કરીને તેની શક્તિનો યથાર્થ ઉપયોગ ન થાય. મનને વશ રાખવું તે તથ્ય છે, પરંતુ કેવળ દમન વડે નહિ પરંતુ સમજપૂર્વક યોગ્ય જગ્યાએ તેને જોડવું. મનને વશ રાખવાનું શ્રેષ્ઠ સાધન જ્ઞાન છે. તે જ્ઞાનની પૂર્તિના સાધનો છે, સંયમ સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન વગેરે. જેથી મન કચડાતું નથી, પણ યોગ્ય દિશા પકડી હોશથી અને હોંશથી કેળવાય છે, જો મન અહંકાર, તૃષ્ણા, ક્રોધ, કે માયા જેવા ક્ષુદ્ર પદાર્થમાં ફસાયું તો તે અનર્થકારક છે. ઇન્દ્રિયાદિ વિષયોમાં પરાધીન બનેલા મનને મિત્ર માની સંઘર્ષમુક્ત કરવા તેની નજીકમાં આત્મા જેવું સર્વોત્કૃષ્ટ અવલંબન છે, તેમાં જોડવા પ્રયત્ન કરવો. તેમાં જ્ઞાન ધ્યાન અને વૈરાગ્યની વિશેષતા હશે તો મન અત્યંત શાંત થઈ શકશે. જો તેને વાસના વિકારમાં જોડ્યું તો તે શત્રુ બની શસ્ત્ર ઉપાડશે અને જીવને દુઃખની ગર્તામાં ધકેલી દેશે; માટે મન દ્વારા આત્મસ્વરૂપનું ચિંતન કરતાં રહેવું તે મંગળકારી છે. મનુષ્યની સલામતી માટે ભયંકર જંગલી પશુઓને વશ કરવાની જેટલી જરૂર છે તેનાથી પણ વધુ જરૂર મનના સ્વચ્છંદી મનને વશ કરવાની છે. કારણ કે તેનો સ્વછંદ પુરાણો છે, વિનાશકારી છે. સૌ પ્રથમ તેને વિષયથી વિરક્ત કરવું જોઈએ. મનને સ્વછંદપણે વિહરવા દેવું અને ઇન્દ્રિયોને વશ રાખવી શક્ય નથી. ઊઠવું, બેસવું, આવવું કે જવું સર્વ ક્રિયામાં ઈન્દ્રિયોની કે કાયાની પ્રધાનતા છે. મનન ચિંતન ભાવના કે અનુપ્રેક્ષા આદિમાં મનની પ્રધાનતા છે. મનને વશ કરવાથી ઇન્દ્રિયો વશ થઈ જાય છે. બધા દુઃખનું વિષમતાનું કારણ નિરંકુશ મન છે. યદ્યપિ આ મનની બે શક્તિ છે. શાસ્ત્ર અને શસ્ત્ર જેવો મહા ભેદ તેમાં રહેલો છે. મનની સ્વાધીનતા ઉન્નતિના શિખરે લઈ જાય છે અને નિરંકુશતા અવનતિની ખીણમાં જીવને ધકેલી દે છે. સાધના આરાધના કે ઉત્તમ જીવનના સંકલ્પને સિદ્ધ કરવા સૌ પ્રથમ મનને જ અંકુશમાં લેવું જરૂરી છે. પવનવેગી મન એકાએક અંકુશમાં આવતું નથી. અશ્વ લગામથી, હાથી અંકુશથી વશમાં વર્તે છે તેમ મન જ્ઞાન વડે અંકુશમાં આવે છે. જ્ઞાન માર્ગે જવા માટે પ્રથમ વિષયોનું ચિંતન ત્યજીને તેને ભક્તિ આદિ શુભ ચિંતનમાં જોડવું ૧૭૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy