SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યને આધારિત છે, તેવું સત્ય શાશ્વત અને સર્વ વ્યાપી છે. તેવી શ્રદ્ધા પ્રજ્ઞાવંત ધરાવે છે. અન્યનું સુખ મારે છે તેમ વિચારી પ્રસન્ન થવું અને અન્યનું દુઃખ મારું છે તેમ વિચારી તે દૂર કરવા પ્રયત્ન કરવો તે સત્યનિષ્ઠા છે. પ્રજ્ઞાવંત સાધકમાં પોતાના અધિકારની મર્યાદાની સમજ હોય છે. અનુચિત કાર્ય કરવામાં તે લજ્જાયુક્ત હોય છે. એ લજ્જામાં મર્યાદાઓનો સમાવેશ હોય છે. પ્રજ્ઞાવંત સાગર જેવો ઊંડો હોય છે. તે પોતે જે સ્થાને છે તેની મર્યાદા ઓળંગતો નથી. વ્યવહાર ક્ષેત્રે આ લજ્જા દરેક સ્થાનના કાર્યોમાં ઉચિત મર્યાદા સાચવે છે. મોટા નાના વચ્ચે વિવેક, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વિવેક, સ્ત્રી-પુરુષ વચ્ચે વિવેક, ગુરુ-શિષ્ય વચ્ચે વિવેક આમ અનેક ક્ષેત્રે ઉચિત હોય તેમ વર્તવું તેનો સદાચારમાં સમાવેશ થાય છે. એ મર્યાદાનો લોપ તે સ્વચ્છંદતા છે. જેનું પરિણામ સંઘર્ષ, અશાંતિ અને દુ:ખ છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવો જરૂરી છે. અનેક ભૌતિક પદાર્થોથી પરાધીન સ્વતંત્રતાનું હાર્દ સમજતો નથી, તેથી તે સ્વચ્છંદતાને સ્વતંત્રતા માને છે અને જીવનને નિરર્થક બનાવે છે. સદાચારીને લજ્જા અને મર્યાદાનું ભાન હોય છે. આ લજ્જા અને મર્યાદાનું ભાન છૂટી જવાથી આધુનિકતાના જબરજસ્ત વહેણમાં તણાવાથી આજે જનસમૂહ ક્યાં જઈ રહ્યો છે ? જનસમૂહ તો વૈજ્ઞાનિક પ્રગતિથી અંજાતો રહ્યો છે, તે તો કહે છે કે : ક્યાં પ્રાચીન દશાની અગવડો ! અને ક્યાં આજની વૈજ્ઞાનિક સગવડો ? ક્યાં પુરાણા માટીના ઘરો અને ક્યાં આજના ગ્રેનાઈટના મહેલો ? ક્યાં પુરાણા કાળનાં જાડાં વસ્ત્રો અને ક્યાં આજના મુલાયમો વસ્ત્રો ? ક્યાં મંદગતિવાળાં પ્રાચીન વાહનો અને ક્યાં આજે તીવ્ર ગતિયુક્ત જેટ વિમાનો ? ક્યાં પૂરાણા તીર કામઠાં, અને ક્યાં આજના અણબોમ્બ ? ક્યાં પુરાણકાળનાં સંદેશા તંત્ર અને ક્યાં આજના ફેક્સ અને ઈમેલ ? આમ માનવજાત માને છે કે તે કેવો દૂરનું જોઈ શકે છે. તીવ્ર ગતિ પકડી શકે છે. દૂરનાને નજીક લાવી શકે છે. રાત્રિને પણ અજવાળી દે છે. આ સઘળા ભૌતિક વિકાસમાં સામગ્રી અને સગવડ જરૂર છે. પણ તે માનવના જીવનની પ્રગતિ છે ? ઉન્નતિ માનવજીવન ઉત્તમ છે * ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy