SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જ અહિંસા છે તેવો ક્ષુદ્ર અર્થ નથી. અથવા શત્રુતા ન કરવી, કોઈ સાથે વેર ન કરવું તે પ્રેમ, એટલું જ પ્રેમ તત્ત્વ નથી. પરંતુ કોઈને હણવા નહિ તે ઉપરાંત જીવ સાથે વાત્સલ્ય કેળવવું, પરોપકાર વૃત્તિ રાખવી, રાગાદિભાવ ન કરવા, વિગેરે મૂલ્યો અહિંસાના પરમ ધર્મ સુધી લઈ જવાના હેતુ છે. શત્રુતા ન કરવી તેની સાથે સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને સમભાવ કેળવવો તે પ્રેમ તત્ત્વની સર્વોચ્ચતા છે. કેવળ નિષેધાત્મક વલણ વસ્તુના સ્વરૂપનો અને જીવન દૃષ્ટિનો સંકોચ કરે છે. નિષેધાત્મક અને વિધેયાત્મક વલણ જીવન દૃષ્ટિનો વિસ્તાર કરે છે. સંકોચ એ વિકલ્પાત્મક હોવાથી બંધન છે. વિસ્તારમાં નિર્દોષતા હોવાથી મુક્તિનું કારણ્ છે. જેમ સરિતા સાગર સુધી ન પહોંચે તો ખાબોચિયું બની સૂકાઈ જાય છે, તેમ અહિંસા અને પ્રેમ જેવા તત્ત્વો સંકોચ પામી ચૈતન્ય સુધી પહોંચતા નથી પરંતુ અહંમ જેવા દુષણમાં શોષાઈ જાય છે. વિશ્વમાં આજના વૈજ્ઞાનિક યુગમાં તેની સાધન સંપન્નતામાં જનતા ખોવાઈ ગઈ. તેનું ચૈતન્ય પણ તેમાં અબોધ બનતું ગયું. કારણ કે વિજ્ઞાનની દરેક નિપજ ભોગ પ્રધાન છે. કેવળ માનવના દેહ સુધી સીમિત છે તેથી તેમાં હિંસાનું પ્રાબલ્ય છે અને તેથી સ્વાર્થવૃત્તિઓ વૃદ્ધિ પામે છે. વિજ્ઞાન સાથે ધર્મ વિજ્ઞાનને જોડવાની જરૂર છે. જેથી અહિંસા પ્રસાર પામે અને હિંસા ઘટતી જાય. જીવન સુખ અને શાંતિમય બને. “અહિંસા સર્વનું મૂળ છે જે બીજાને અભય આપે છે તે સ્વયં અભય પામે છે. અભવ્ય પ્રત્યેની ભવ્ય ભાવનામાંથી અહિંસા અને મૈત્રીનો જન્મ થાય છે. હું જગતનો અને જગત મારું એ અહિંસાનું દર્શનશાસ્ત્ર છે. મારું સુખ સર્વનું સુખ, અને સર્વનું સુખ મારું સુખ એ અહિંસાનું વર્તનશાસ્ત્ર છે. પ્રથમ નિશ્વય પક્ષ છે, બીજો વ્યવહાર પક્ષ છે. બંનેનું મિલન અનેકાંત છે.” વ્યવહાર પક્ષ પ૨ને વિષય કરે છે, નિમિત્તની હાજરીને સ્વીકારે છે, નિમિત્તમાં કાર્યની નિષ્પન્નતાનો આરોપ કરે છે. વ્યવહાર વિશ્વના નિયમો સાથે સંકળાયેલું હોય છે. મુક્તિગમનમાં ભવ્યત્વની યોગ્યતા વ્યવહારનય સ્વીકારે છે. નિશ્ચય નય આત્માની યોગ્યતા અને ઉપાદાનનો સ્વીકાર કરે છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ આત્મ વિકાસ એક ક્રમ બને છે. નિશ્ચયદૃષ્ટિથી ગુણસ્થાનક એ આત્માનું પૂર્ણસ્વરૂપ નથી પરંતુ વિકસતી અવસ્થાઓ Jain Education International ૧૬૪ * શ્રુતસાગરનાં બિંદુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy