SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જન કરનાર છે. અહિંસા સુખરૂપ, સુખના કારણરૂપ અને સુખની પરંપરાનું સર્જન કરનાર છે. પ્રાણનાશ એ દ્રવ્યહિંસા છે. દુષ્ટ અધ્યવસાય એ ભાવહિંસા છે. દુષ્ટ અધ્યવસાય શું છે ? આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દુષ્ટ અધ્યવસય છે. સઘળા કર્મબંધનો દુષ્ટ અધ્યવસાયને આધીન છે. તેમાં અસંયમાદિ, કષાય, વિકથા, રાગાદિ સર્વ દુષ્ટ અધ્યવસાય છે. જેના દ્વારા હૃદય કઠોર બને છે. એવો કઠોર હૃદયવાળો માનવ ગમે તેવા દુષ્કૃત્યો કરતાં અટકતો નથી. કાલ સૌરિકની જેમ કાલ્પનિક હિંસા કર્યા જ કરે છે. આર્તધ્યાન વડે પૌગલિક સુખોના ભોગની કે ઉપભોગની પીડા પામે છે. છેદન, ભેદન, તાડનની ક્રિયાની ક્રૂરતા તે રૌદ્રધ્યાન છે. જેના પરિણામે જીવ અનુક્રમે તિર્યંચ અને નરક ગતિ પામે છે. ૦ દુષ્ટ અધ્યવસાયના અનેક પ્રકારો છે (૧) જાણીને, હેતુપૂર્વક, અન્યને રિબાવવા કે દુ:ખી કરવા હિંસા કરવી. ઘાત કરવો. (૨) આવેશ, કામ, ક્રોધાદિને વશ થઈ, હિતાહિત ભૂલીને પાપ જનિત ક્રિયા કરવી. (૩) પોતાની હલકી વૃત્તિને પોષવા, હાસ્ય કે મજા ખાતર અન્યને દુઃખ આપવું કે સ્વયં દોષોનું સેવન કરવું. (૪) દુષ્ટ સંગતથી, કુમતિ કે કુમતથી પોતાની વાસના કે વિકારને વશ થઈ અનુચિત આચરણ કરવું. આવા અધ્યવસયાયને કારણે જીવના ભાવ કઠોર બને છે પછી તો અન્યનું દુઃખ જાણે તેનું સુખ બને છે, પણ ભાઈ એવું નથી, એ સુખ નથી પણ તારા મહા દુઃખનું કારણ છે. અન્યને પીડા ત્રણ પ્રકારે પહોંચે છે. પ્રાણનો વિયોગ થવો. પ્રાણનો વિયોગ ન થાય પણ શારીરિક પીડાઓ ઊપજે. પ્રાણીને વિયોગ કે શારીરિક પીડા થવાનો ભય ઉપજાવવો. આવા દુષ્કૃત્યનું પરિણામ અવશ્ય આવે છે. કારણ કે આત્મા નિત્યાનિત્ય છે, તેથી ભલે પ્રાણ વિયોગ થતા મરણ પામ્યો પણ જીવ અન્યત્ર ઉત્પન્ન થાય છે, તેથી હિંસા દ્વારા થતાં વેરના સંબંધો વળી ૧૫૪ : શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy