SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બે અવસ્થાઓ છે. ૧. સંસારી એટલે અશુધ્ધ કર્મયુક્ત અશુધ્ધ અવસ્થા. ૨. સિધ્ધ, કર્મ મુક્ત શુદ્ધ અવસ્થા. જોકે સંસારીની અશુદ્ધ અવસ્થાના ઘણા પ્રકાર છે. પૂર્ણતા પામતાં પહેલાં શુદ્ધ અવસ્થાઓના કેટલાક ભેદ પડે છે. ચોથા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધ નિશ્ચયનયે પ્રગટ સિદ્ધ અવસ્થા શુદ્ધ છે. જીવમાત્રની સત્તામાં આ સિદ્ધ અવસ્થા રહેલી છે. તેમાં કોઈ ભેદ નથી. આત્મા સત્તા અપેક્ષાએ શુદ્ધ છે. અને સંસારમાં તેની અવસ્થા અશુદ્ધ છે. શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો તેમ નથી પણ વર્તમાન દશામાં જે રાગાદિની મલિનતા છે તે અશુદ્ધિ છે. તે અશુદ્ધ અવસ્થાને દૂર કરી શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરવી તે માનવજીવનનું વિશેષ કર્તવ્ય છે. શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે થાય ? રાગાદિ ભાવકર્મ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મની જોડીની જંજીરમાં આત્મા જકડાયો છે. તે સર્વ કર્મથી મુક્ત થવા આત્મજ્ઞાન જ પરમ, પ્રથમ, પરમાર્થ અને પ્રયોજનભૂત સાધન કે કારણ છે. વાસ્તવમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણે સાધન સંયુક્ત છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવી છે, પરંતુ એ જ્ઞાનના મૂળમાં સમ્યમ્ શ્રદ્ધા-દર્શન રહેલું છે. વળી સમ્યગુ દર્શન અને જ્ઞાનનું નિર્મળત્વ ચારિત્રથી થાય છે. ચારિત્ર એટલે સંયમ, વીતરાગતાની વિશેષતા છે. એવું ચારિત્ર સત્ ક્રિયાથી નિર્માણ થાય છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બાહ્ય અને અંતરંગ બે પ્રકારે છે. બાહ્ય ક્રિયામાં ભૂમિકા પ્રમાણે આવશ્યકાદિ ક્રિયાઓ સત્સંગ, સ્વાધ્યાય, અર્થાત્ પાંચ સમિતિ વિગેરે છે. અંતરંગ ક્રિયામાં ગુપ્તિ, ધ્યાન, એકાંત, મૌન અને શુદ્ધીકરણ છે. આમ જ્ઞાન અને ક્રિયા બંને યુગલ છે. જેમાંથી મુક્તદશા સાધ્ય બને છે. મૂળમાં તત્ત્વાદિનું શ્રદ્ધાન સમ્યગુ જોઈએ. સાચું જ્ઞાન ક્રિયા સહિત હોય.' સાચી ક્રિયા જ્ઞાન સહિત હોય” અશુદ્ધિ ટાળવા શુદ્ધિ માટે જે જે ઉપાયો યોજવા તે ક્રિયા છે. હિંસાદિ અસત્ ક્રિયા છે. અહિંસાદિ સત્ ક્રિયા છે. તમે જ્ઞાનમાર્ગે જવાના છો. તો તમારે શાસ્ત્રજ્ઞાનનો આધાર લેવો. પડશે. સ્વાધ્યાયાદિ કરવા પડશે. એકાંતમાં સ્વરૂપનું લક્ષ્ય કરવું પડશે. આત્મસ્વરૂપ * ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy