SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ કાર્યોનું સર્જન જ જીવને ઉપર ઉઠાવવા માટે છે. નીચેથી ઉપર ચઢીને માનવદેહ મલ્યા પછી, હવે પાછા નીચે શા માટે જવું ? તું તિર્યંચ પશુ આદિ સ્થાનોમાં શું સુખ પામ્યો હોઈશ ? તે કલ્પના જ તને સજાગ કરી દેશે. સત્કાર્યોમાં જોડાયેલું જીવન સ્વ-પર હિતકારી છે. તેમાંથી હૃદયમાં લેવાયેલા શુભ ભાવો તને સુખ આપે છે. શુભ ભાવોની વૃદ્ધિ અમુક હદે જઈને પછી જીવને શુદ્ધતામાં વાળે છે. જ્યાં કેવળ આત્માનંદ જ પ્રગટ થતો રહે છે. જેમ ધનથી ધન વધે છે. તેમ પુણ્યથી પુણ્ય વધે છે. એવા કોઈ પુણ્યયોગે માનવજન્મ મળ્યો. મન, વચન, કાયાના યોગ મળ્યા. ધનાદિ બાહ્ય પદાર્થો. મળ્યા. જે મળવા પુણ્યયોગ નિમિત્ત હતો એ પુણ્ય તને મુક્તિના સાધનો સુધી પહોંચાડે, તે માટે તું ભોગવૃત્તિનો ત્યાગ કરી દે. કારણ કે ભોગ કે સ્વાર્થવૃત્તિ તારા પુણ્યની બાદબાકી કરી દેશે. ધનાદિનો સવ્યય ગુણોની વૃદ્ધિ કરે છે. અન્યનું હિત કરવું, * ઇચ્છવું તે પુણ્ય પ્રત્યેનો અભિગમ છે. સ્વાર્થ આસક્તિ એ પાપનું સર્જન કરે છે. તું સુખ તો ઇચ્છે છે ને ! તો પછી સુખ મળે તેનું સર્જન કરજે. દુઃખ ઇચ્છતો નથી એ છતાં આવી પડે તો પાપનો એકરાર કરી તેનાથી મુક્ત થવા સુકૃત્યો તરફ વળી જજે. તને આ જન્મમાં જે કંઈ સુખ-સામગ્રી મળ્યાં છે તે ક્યાંથી આવ્યાં ? તું સુખ-સંપત્તિમાં જન્મ્યો, ત્યારે જન્મ સાથે કયો પરિશ્રમ કર્યો હતો કે તને સુખસામગ્રી મળી ? તને ખબર હોય કે ન હોય પરંતુ એની પાછળનું ગૂઢ રહસ્ય છે તે દેવગુરુની કૃપા છે. સંસારના કયા સાધન વડે તે પુણ્યનું ઉપાર્જન કરીશ ! જે સાધનો સ્વયં ભોગ પ્રત્યે લઈ જનારા છે તે તારા પુણ્યનું સર્જન કેવી રીતે કરશે ? પુણ્યના સર્જનમાં જે શુભ ભાવ જોઈએ તેનું નિમિત્ત મૂળમાં દેવગુરુની કૃપા છે. તે ક્યારે મળે ? જે જીવ દેવગુરુની આજ્ઞા પ્રમાણે પરહિતની ભાવના વાળો છે. ઉદાત્ત ચિત્તવાળો છે. સંયમની વૃત્તિવાળો છે. તે કૃપાને પાત્ર થાય છે. તેનાં દુઃખો દૂર થાય છે. “જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલંક, અને સૂર્યથી જેમ પંક શોષાય છે, શુદ્ધ થાય છે તેમ ધ્યાનરૂપી જલથી કર્મરૂપી મલ, ધ્યાન રૂપી અગ્નિથી કર્મરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કર્મરૂપી પંક સોષાય છે. શુદ્ધ થાય છે.” હે સુજ્ઞ ! પાપ આશ્રવ જીવને ધર્મના યોગ તરફ લઈ જવા સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy