SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાભ્યાસનું ફળ : ૧. હું ઘણું જાણું છું, સમજું છું, એવો અહંભાવ ઘટતો જાય. ૨. જો શ્રદ્ધા સહિત શાસ્ત્રાર્થ સમજે તો મન શુદ્ધ અને વિશાળ બનતું જાય. ૩. હૃદયમાં કોમળતા આદિ ભાવો જાગે. પ્રાણીમાત્રનું હિત જોવામાં અને આત્મભાવે સેવા કરવામાં પ્રવૃત્ત રહે. ૪. ક્ષણભંગુર અને અનિત્ય એવા સંસારની વસ્તુઓની મોહમાયા નીકળી જાય. ૫. સમગ્ર સૃષ્ટિમાં જે મહાન ચૈતન્યશક્તિ વહી રહી છે તેને આત્મવત્ માનવાથી જીવનમાં સાચી શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય. દોષોને નિંદવા વડે અહંભાવ ગળે, ગુણગ્રહણતા વડે મનની વિશાળતા વધે, અને ચતુઃ શરણ વડે જીવમાત્ર પ્રત્યે આત્મીયતા થાય. જ્યાં સુધી જીવને પોતાપણાનો રાગ છે ત્યાં સુધી તે પોતાના દોષને જોઈ શકતો નથી. જ્યાં સુધી વૈષ છે ત્યાં સુધી તે અન્યના ગુણને જોઈ શકતો નથી. યદ્યપિ સર્વથા રાગદ્વેષરહિત ગુણોને યથાર્થપણે જાણવાની શક્તિ વિતરાગ પુરૂષમાં હોય છે. - રાગ-દ્વેષ જોડકા બંધુ છે. વૈષની ઉત્પત્તિનું મૂળ રાગ છે. આવા કપરા રાગદ્વેષના મૂળને છેદવાનું એકમાત્ર સાધન જ્ઞાન છે. જ્ઞાન દર્શન વડે કાર્યશીલ થાય છે. દર્શન એટલે ચિત્તશુદ્ધિ, તે સંયમ વડે થાય છે. સંયમ અહિંસાદિના પાલનથી ટકે છે. અંધારામાં પડેલી દોરડી પૂરા દેહમાં રહેલા આત્મપ્રદેશોમાં સર્પના ભ્રમથી ભય પેદા કરે છે, અજવાળામાં પડેલો જીવતો સર્પ એટલો ભય પેદા કરતો નથી કારણ કે અજવાળું તમારી હામ છે કે યોગ્ય જગાએ ખસી જઈશું. અંધકારમાં કલ્પિત સર્પનો ભય વિશેષ હતો કારણ કે ક્યાં ખસી જવું તે દેખાતું ન હતું. આ પ્રમાણે સંસારરૂપી રાત્રિમાં અજ્ઞાનના અંધકારમાં અનેક ભયો રહેલા છે. જ્ઞાન પ્રકાશ થતાં સંસાર તો એનો એ જ છે પણ તેમાં ક્યાં ખસી જવું, લેપાવું નહિ તે સમજાય છે. સંસારનો ઉદય હોય ત્યાં સુધી જે કંઈ કરવું પડે તે રાગાદિરહિત જ્ઞાન પ્રકાશ વડે કરે ૧૧૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy