SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે સંપત્તિ તેનું હૃદય છે, તે જગતના જીવો પ્રત્યે અત્યંત મૃદુ અને કરુણાયુક્ત હોય છે, અને સ્વ સંયમ માટે વજ જેવું કઠણ હોય “સુવાસ વગરના ફૂલ જેવો છે, શ્રદ્ધા વગરનો આચાર. વિચારમાં દૈવત પણ શ્રદ્ધા જ સ્થાપે છે. વિચારને આચાર સાથે જોડનારા સુદૃઢ પુલનું કામ પણ શ્રદ્ધા જ કરે છે. સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બનો.” શ્રદ્ધા પાંખ છે તો જ્ઞાન આંખ છે સામાન્ય રીતે મનુષ્યમાં જ્ઞાનની ઘણી અલ્પતા છે. શારીરિક રચના પ્રમાણે પણ માનવમગજના અતિ અલ્પ (સેલ) જ્ઞાનગ્રંથિઓ કાર્યશીલ હોય છે. બાહ્ય જગતમાં આપણે રોજે જે વસ્તુઓ જોઈએ છીએ તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. આપણે જ્યાં રહીએ છીએ તે શેરી કે ગામનું અતિ અલ્પ પ્રમાણમાં જ્ઞાન આપણે ધરાવીએ છીએ. બાહ્ય જગતના પદાર્થોને પણ વિશદતાથી જાણવા માટે યોગ્યતા કેળવવી પડે છે. - ભોજનને જોવામાત્રથી ઉદરપૂર્તિ નથી થતી, પરંતુ તેનો યોગ્ય પ્રમાણે આહાર કરવાથી ઉદરપૂર્તિ થાય છે. તેમ બાહ્ય વસ્તુઓને જોવામાત્રથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી પણ તેનું સંશોધન કરવાથી જ્ઞાન મળે છે. કોઈ ક્રિયાત્મક શ્રમથી અને જિજ્ઞાસા વડે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતાની શક્તિનો વિકાસ થાય છે. આત્મિક વિકાસની દૃષ્ટિએ આત્મામાં રહેલા અપાર જ્ઞાનને પામવા માટે સતત તે પ્રત્યે ક્રિયાશીલ રહેવું પડે. ભૂમિકા પ્રમાણે બાહ્ય અનુષ્ઠાન-ક્રિયા જોડવા જોઈએ. ઉચિત ક્રિયાની ઉપેક્ષા અજ્ઞાન પ્રત્યે લઈ જાય છે. જ્ઞાન અલ્પ અને અહંકાર મોટો બને છે. આત્માની અમાપ શક્તિને પ્રકાશમાં લાવવા માણસે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૦ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષથી થાય છે જ્ઞાન કથંચિત શાસ્ત્રમાંથી મળે છે, પરંતુ જ્ઞાનનો મર્મ જ્ઞાનસ્વરૂપ જ્ઞાનીની નિશ્રાથી સમજાય છે. કારણ કે જ્ઞાનનો ઉપયોગ નિશદિન આત્મામાં છે. આચારમાં સમત્વ છે. વાણીમાં અપૂર્વ બોધની સરવાણી ઝરે છે. તેઓ નિર્ભય અને સ્વતંત્ર છે, તેમને કોઈ પદાર્થની માંગ નથી. “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. તત્ત્વ મંથન ૪ ૯૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy