SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તે આદર્શો કેમ પાર પાડવા તેનું વારંવાર ચિંતન કરે અને પ્રસંગે પ્રસંગે કાર્ય કર્યું તે વિચારમાં નિષ્ઠા રાખે. એટલે વિચાર જ સ્વભાવ બને છે પછી તેને સત્ય બોલવાનો કે મૂચ્છત્યાગનો વિકલ્પ નહિ ઊઠે, તેનાથી તે કાર્ય આચાર સ્વાભાવિકપણે થઈ જશે. એટલે વિચાર અને આચાર અન્યોન્ય પૂરક બની જશે.. શ્રદ્ધાબળ જ્ઞાનની કાયા છે શ્રદ્ધાના અભાવે જ્ઞાનમાર્ગમાં ટકતું નથી. શ્રદ્ધારહિત જ્ઞાનમાં તત્ત્વદૃષ્ટિનો અભાવ છે. વ્યવહારમાં અગ્નિથી દઝાય છે તે જ્ઞાન હોવાથી તેનાથી જીવ દૂર રહે છે. પાપ દુઃખ આપે છે તે જ્ઞાન હોવા છતાં શ્રદ્ધાને અભાવે જીવ પાપથી મુક્ત નથી રહેતો અર્થાત્ જ્ઞાન શ્રદ્ધા વડે પરિણત થાય છે. પાપથી દુ:ખ પડશે એમ જ્ઞાન જણાવે છે, શ્રદ્ધા કહે છે માટે પાપ ન કરવું. શ્રદ્ધામાં દેઢતા, નિષ્ઠા અને નિશ્ચળતા રહેલા છે. તે શ્રદ્ધાળુજનોના સંસર્ગથી તેમના બોધથી જીવનમાં વણાઈ જાય છે. કારણ કે તેમના સંસર્ગથી નિશ્ચય થાય છે કે પુરુષોએ કહ્યું છે તે સાચું છે. આવી શ્રદ્ધાને કારણે જીવમાં વિવેક, ધૈર્ય અને સાહસ પ્રગટાવે છે. તેથી ખરી કસોટીને સમયે જીવ ધર્મમાં દઢતાપૂર્વક ટકી જાય છે. સ્વપ્ન પણ અસતું કે માયાનો આશ્રય લેતો નથી. જ્ઞાનીજનોના સંપર્કથી કે પૂર્વના વિશેષ આરાધનના બળ વડે નૈિસર્ગિકપણે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિની દઢ શ્રદ્ધા છે, તેને આ જગત સુવર્ણન કરીને કોઈ દેવ વરદાનથી આપે તો પણ તેનું મસ્તક નકાર સૂચવે. આત્મશ્રદ્ધાના આફ્લાદમાં સુવર્ણનું જગત તેને તૃણવત્ લાગે છે. તેમાં મારાપણાનો ભાવ જન્મતો નથી, તેથી તેમાં લાભ કે હાનિ થાય તો પણ હર્ષ-શોક થતો નથી. સમ્યમ્ શ્રદ્ધાયુક્ત સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં છતાં આ પ્રકારે અબંધક રહે છે. સમ્યગૃષ્ટિ આત્મા સર્વને આત્મવતું જાણે છે. તે આત્મશ્રદ્ધાની પરિપક્વતા છે. એ શ્રદ્ધા વિશ્વમૈત્રીમાં વિસ્તરે છે. સત્પુરુષના વચનની અપૂર્વ શ્રદ્ધા, આજ્ઞાની અપૂર્વ રુચિ તેને સ્વરૂપ શ્રદ્ધામાં દઢ કરે છે. તે જેમ આત્મસ્વરૂપને જાણે છે, શ્રદ્ધે છે, સમજે છે તેમ કર્મની સત્તા, આત્મા અને કર્મનો સંબંધ, બંધ-મોક્ષની વ્યવસ્થાને સૂક્ષ્મ વિચારણાથી જાણે છે, સમજે છે, શ્રદ્ધા છે, જ્યાં જ્યાં જે આચરવા જેવું છે તે આચરે છે. આથી એની જીવનસંપત્તિ વૃદ્ધિ પામે છે. આપત્તિ દૂર રહે ૯૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy