________________ - - 80 * જૈન ધર્મનાં સ્વાધ્યાય સુમન આત્માની વિદ્યા ભણ અને તે માટે તેને મામી મહારાજ પાસે જવાનું થયું. ત્યાં તેણે સાડાનવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભક્તિ સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે “ચરણકરણ વિધ્ધહીણો બુaઈ સુબહુપિ જાણંતો' અને “પઢમં નાણું તઓ દયા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર થયા તેમની બે પત્નીઓના ભરત-બાહુબલી જેવાં 108 સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયાં. કેવું ઉમદા કુળ ! તેથી સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રનું નાન્ય સુત તદુપમ જનની પ્રસુતા. માતા મરુદેવી કેવાં ધન્યાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થંકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્રમોહથી અભિભૂત થઈ હજાર વર્ષ સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી. માનસિક રીતે, તેમને પ્રથમ જોઈ, બાદમાં દષ્ટિ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતાં કેવળી પુત્રની પહેલાં મોક્ષના દ્વાર ખોલ્યાં તથા પુત્ર માટે મોક્ષવધૂ વરી લીધી. તેમની કેવી કૂખ હશે કે તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં તેમનો પુત્ર ભરત સ્નાનાગારમાં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આ જ રીતે કેવળી થઈ મોક્ષપુરીના માનવંતા મહેમાનો બન્યા. તેઓ છે : આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંઠવીર્ય. આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભરતની જેમ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર સચિત્રમ્ પૃ. 265) અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એક વાર તેને સ્નાન કરાવતાં તેના શરીર પર માનાં અશ્રુ પડે છે. ઉપર દષ્ટિ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યાસી બની જાય છે. છ વર્ષનો અઈમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઊંચકવા જણાવે છે ત્યારે ગૌતમ સ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસારત્યાગી જ ઊંચકી શકે તેમ જણાવે છે. મહાવીર સ્વામીની વૈરાગ્ય ઝરતી અમોઘ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની માં શ્રીદેવી પાસેથી સાધુજીવનની કઠણાઈ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિપુર:સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઈ કેવળી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org