________________ 10 અસારે ખલુ સંસારે...' અસારે ખલુ સંસારે સારી સારંગલોચના' આચાર્યભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરનારને જોઈને એક વાર વ્યાખ્યાન દરમ્યાન ઉપરનું વાક્ય ઉચ્ચાર્યું. તેથી નારાજ થયેલા બે ભાઈઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં કહ્યું કે : “યસ્યા: કુક્ષિસમુત્પન્ના: વસ્તુપાલ ભવાદશા' આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યક્ત કર્યો. કહેવાનું તાત્પર્ય એ હતું કે અસાર એવા સંસારમાં તીર્થકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્ર, હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવા મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્ત્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની, જેઠાણી, દેરાણી વગેરે જેવા કેવા ભાવો ભજવે છે તે જોઈએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે; પરંતુ માનું સુખ ઉદ્વિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તેણી અસંતુષ્ટ છે. માની ખાતર મામી મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઈ સાડાનવ પૂર્વોનો અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભક્તિ ! તેવી જ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભક્તિ. જ્ઞાનામૃત ભોજન કહેવાયું હોવા છતાં પણ સાંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે; વિભંગ જ્ઞાન ગણાય છે, કેમ કે તે સમ્યગદર્શન કે સમકિત વગરનું છે. નવગ્રેવકે પહોંચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવગેયક સુધી પહોંચી શકાય તથા ચૌદ પૂર્વોનો અભ્યાસ પણ હોય, પરંતુ જો તેની સાથે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું છાણમાં લીંપણ સમાન છે. આર્યરક્ષિતની મા આ સમજતી હતી તેથી પુત્રના શાસ્ત્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્યપથ બતાવ્યો કે તું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org