SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પળમાં પેલે પાર 55 તેઓમાંના પCCને ક્ષીરપાન કરવાથી, બીજા પાંચસોને સમવસરણના ત્રણ પ્રકાર જોવાથી અને બીજા પાંચસોને જિનવાણી સાંભળતાં કેવળજ્ઞાન થયું. લબ્લિનિધાન ગૌતમ જેના મસ્તક પર હાથ મૂકે તેને કેવળજ્ઞાન થાય. આમ તેના 50,000 શિષ્યોને કેવળજ્ઞાન થયું ! પોતે હજી કોરા જ રહ્યા હતા. જ્યારે આ ૧પ૦ શિષ્યો કેવળીની પર્ષદામાં બેસવા જાય છે ત્યારે ગૌતમ સ્વામી તેઓને ટોકે છે કે સમવસરણમાં કેવળીની સાથે ન બેસાય. ત્યારે ભગવાન કહે છે કે, “હે ગૌતમ, તેઓની લાયકાત ત્યાં બેસવાની છે કેમકે તેઓ કેવળી થયા છે.' આથી ગૌતમ ચોંકી ઊઠે છે તથા પોતાની છબી દશાથી ખિન્ન થાય છે. દેવશર્માને પ્રતિબોધ્યા પછી તેઓ પણ કેવળી થયા. આહાર સંજ્ઞાના ક્ષય માટે ઉગ્ર તપસ્વી દમસાર મુનિશ્રી તીર્થકરને પૂછે છે કે “ચરમશરીર કે હું અચર શરીરી ? મને કેવળજ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે ?' પરિણામની વિશુદ્ધ ધારા ચાલે તો પહોરમાં થાય. પરંતુ માસક્ષમણના પારણે ક્રોધ કષાયનું નિમિત્ત મળતાં તે ગુમાવી દેશો અને કેવળજ્ઞાન દૂર હડસેલાઈ જશે, અને ત્યાર બાદ મળશે. કાયાની મમતા રહી હોવાથી નિર્દોષ આહાર માટે જતાં માર્ગમાં એક ક્ષત્રિય મળ્યો. અપશુકન માની તેને અવળે માર્ગે ચઢાવી દીધા. ક્ષત્રિય પર ગુસ્સો કર્યો. દમસાર મુનિએ ફરીથી સમુત્થાન શ્રુતની લબ્ધિ વડે સમસ્ત પ્રજાને ભયમુક્ત કરી પ્રભુ પાસે માફી માંગી. ઘાતી કર્મોનો ક્ષય કરી પ્રભુના જણાવ્યા પ્રમાણે સાતમે દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું. - રાજર્ષિ કીર્તિધર અને તેમના પુત્ર સુકોશલ બંને ભયાનક વનમાંથી પસાર થતા હતા. એક વિકરાળ વાઘણ સુકોશલ મુનિના શરીર પર કૂદી. ભયંકર પંજા અને વિકરાળ દાંતથી તેમના શરીરને ફાડવા લાગી. સુકોશલ મુનિ શાંત દશામાં છે. હૃદયને પવિત્ર કરી રહ્યા છે. સમતા રસમાં ઝૂમવા લાગ્યા. છેલ્લી હદે પહોંચ્યા અને કેવળજ્ઞાન થયું. બંનેને સમતાના બળે કેવળજ્ઞાન થયું હતું. જ્યારે દકાચાર્યે પરમાત્મા મુનિસુવ્રત સ્વામી પાસે વિહાર માટે આજ્ઞા માગી ત્યારે પ્રભુએ કહ્યું કે ત્યાં તમને અને તમારા સાધુવૃન્દને મરણાંત ઉપસર્ગ થશે. જીંદકાચાર્યે પૂછ્યું, ભગવન્! ભલે ઉપસર્ગ થાય પણ અમે આરાધક કે વિરાધક ? ભગવાનને કહ્યું કે તમારા સિવાય બધા આરાધક થશે. સ્કંદકાચાર્ય પ00. શિષ્યો સાથે વિહાર કરી એવા ઠેકાણે ગયા કે જ્યાં જૈન ધર્મના કટ્ટર પ્રધાને રાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy