SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરે છે. તેઓ કહે છે કે આ તો દ્રવ્યવંદન કર્યું. ઘટસ્ફોટ થતાં તેઓ દુ"કની નિંદા કરતાં ક્ષપકશ્રેણિ અને પળમાં કેવળી ! ચાર ભાણેજો મામાને વંદન કરવામાં મોડું થતાં તે પર ચિંતન કરતાં કરતાં આચાર્યની પહેલાં કવળી બની ગયા હોય છે. ચંદ્રાચાર્ય મસ્તકમાં, વાંકું ચાલનાર નવપરિણીત સાધુના પર પ્રહારો કરે છે. ગુરને અસુવિધા થતી જાણી વિચારની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોચી કેવળી બને છે. સીધું હવે કેમ ચલાય છે ? તેના જવાબમાં કહે છે કે આપની કૃપાથી. સફાળા ચંડરુદ્રાચાર્ય અપ્રતિપાતિ જ્ઞાનીની આશાતનાથી દુઃખી થઈ પાતાપ કરી તેઓ પણ કેવળી બને છે. રાજવી માતાપિતાની પુત્રી ભાઈ સાથેનાં લગ્નથી દુ:ખી થઈ, પતિની ઇરછા પ્રમાણે સાધ્વી તરીકે જીવે છે. વૃદ્ધ ગુરુની સેવા-વૈયાવચ્ચ કરનારી પુLચૂલા પ્રતિદિન અર્ણિકાપુત્રને માટે માફક, જોઈએ તેટલી ગોચરી લાગતી હોય છે. એક વાર અર્ણિકાપુત્ર આ કેવી રીતે શક્ય બને છે તે જાણવા પ્રણે પૂછે છે. તમારી કૃપાથી આ શક્ય બને છે. વળી તરીકે તેમને જાણું, 'પોતાને ક્યારે કેવળજ્ઞાન થશે તેમ પૂછયું. પુષ્પચૂલાએ કહ્યું કે નદી તરી પેલે પાર જ સાં. તેઓએ લાવેલી ગોચરી બાજુ પર રાખી નદી પાર કરવા જાય છે. દુષ્ટ વના ભાલાથી વીંધાઈ જાય છે. પાણીમાં પડી રહેલા લોહીનાં ટીપાંથી અપકાયની વિરાધના થતાં ઉચ્ચ ભાવનાના બળ વડે તેઓ પણ કેવળી બને છે, પુષ્પચૂલા કવળી બની ચૂકી છે. - લલિતાંગ મુનિની અદ્વિતીય સિદ્ધિ જેવી કે નદીના પૂરથી બચી જવું, અગ્નિ વચ્ચે હોવા છતાં પણ કશી ઈજા ન થવી, તેવા પ્રસંગોથી ન સ્તિકશિરોમણિ અસંમતે મહાત્મા પ્રત્યે ઈર્ષા, ધર્મ અને ધર્મીનો દ્વેષ અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ કર્યો. આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષાદિ પર શ્રદ્ધાન્વિત થઈ તેણે કાયા અને કાયિક સુખાદિની પરાધીનતા ત્યજી, આત્માનું ખરેખરું વીર્ય પ્રગટાવી, અશુભ ભાવના અલગ કરી, શુભ ભાવમાં ચડ્યો, શરીરઆત્માનો ભેદ સમજી, ચિંતનમાં ચિત્ત પરોવી શુભ ભાવે શુક્લ ધ્યાન, ક્ષપકશ્રેણિ મોહનીય આદિ કર્મો, જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો સર્વથા સંહાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનંત લબ્ધિભંડાર' ગણધર ગૌતમ સ્વામીને હજી કેવળજ્ઞાન થયું નથી. પ્રભુની પ્રેરણાથી એક જ દિવસમાં અષ્ટાપદ પર જઈ પૂજા કરે તો કેવળજ્ઞાન પ્રગટે એવું જાણ્યા પછી તે માટેનો પ્રયત્ન કરે છે. માર્ગમાં ૧પ00 તાપસીને અક્ષીણ મહાનસી લબ્ધિ વડે પાત્રમાં અંગૂઠો મૂકી ક્ષીરપાન કરાવે છે. તે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy