SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જાતિસ્મરણ જ્ઞાન થયું. લગ્ન કરવા નથી પણ બંધનો ત્યજી ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના છે. દઢનિશ્ચયી પુત્ર છે, તેમ જાણી લગ્નને બીજે દિવસે દીક્ષા લેવા અનુમતિ આપી. આઠે કન્યાના પિતાને વાકેફ કર્યા. પુત્રીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ. લગ્નની સર્વ પ્રક્રિયામાંથી વૈરાગ્યપૂરક અર્થ કાઢ્યો. સાવધાન સાવધાનના પોકારો સાથે સાવધાન થઈ સંવેગ રંગની ઊંચી ભાવનામાં ચઢે છે; સંયમ લઈ પાપોને દૂર કરી, ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈ ઘાતી કર્મો તોડી નાંખે છે. કેવળજ્ઞાન થાય છે. કેવળીનો મહોત્સવ ઊજવવા દેવો ઊતરી આવે છે. - આ તરફ પત્નીઓ પણ આવા પતિ માટે મગરૂર બને છે. સમતા રસમાં લીન બનેલા આવા પતિ શું સંસારમાં લેપાય ખરા ! ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે મુક્તિગામી ભરથાર મળ્યો. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ-શિખર ઉપર આરૂઢ થાય છે. ભાવનાના બળે ચૉરીમાં જ સઘળાં કેવળજ્ઞાન પામે છે. આકાશમાં દુદુભિ વાગે છે. લગ્નના મંડપમાં કેવળજ્ઞાન ! મહામહના સામ્રાજ્યમાં કેવળજ્ઞાન ! લોકો મોંમાં આંગળાં નાંખવા લાગ્યા ! રાજગૃહી નગરીમાં સિંહરથ રાજાના સમયનો આ પ્રસંગ છે. મધ્યાહ્ન સમયે બુદ્ધિનિધાન અને લબ્લિનિધાન અષાઢાભૂતિ મુનિવર ગોચરી લેવા પધાર્યા છે. નટકારના આંગણે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો. મઘમધતા સુંદર મોદક વહોરાવ્યા. તેની આસક્તિથી ફરીફરી તે માટે પ્રવેશ કર્યો. કામના છે તેમ જાણી નટકારના ગૃહમાં તેની પુત્રીથી લટ્ટુ બની લપસી પડ્યા. એક વાર તેઓની વ્રતભંગની દશા જોઈ ઘરનો ત્યાગ કરે તે પૂર્વે તેના દ્વારા રાજસભામાં ભરતરાજાનો એક પ્રસંગ હૂબહૂ રજૂ થઈ રહ્યો છે. આનંદવિભોર પ્રેક્ષકો તાલીઓથી વધાવી રહ્યા છે. અરીસાભુવનમાં 500 રાજપુત્રો સાથે અષાઢાભૂતિની વીંટી આંગળીએથી સરી પડતાં ભારતની જેમ અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન થયું. પાંચસો રાજપુત્રોની સાથે અષાઢાભૂતિ પણ કેવળી થાય છે. દેવોએ અર્પણ કરેલો માધુવેશ ગ્રહણ કરે છે. તેથી કહેવાયું છે કે : “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” જ્યારે ગણધર ગૌતમની આંગળી ઝાલી અઈમુત્ત (અતિમુકા) પોતાના ઘેર ગોચરી માટે લઈ આવતો ત્યારે રાજરાણી, શ્રીદેવી તેની મા, હર્ષવિભોર થઈ મુનિનું ભાવભીનું સ્વાગત કરે છે. તેમની સાથે તેના ગુરુ ભગવાન મહાવીરને જોવા જતાં જતાં તેમની ઝોળી ઊંચકી લેવા કહે છે. ગૌતમ કહે છે તેને તે ન અપાય. અમારા જેવા જ તે ઉપાડી શકે. ગૌતમ સાથે મહાવીર જોઈ, તેમની વાણી સાંભળી દીક્ષિત થવા માતા સાથે અનેકાનેક તર્ક-દલીલો કરી છેવટે છે વર્ષની વયે સાધુ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy