SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પળમાં પેલે પાર પ૧ આ ઘટના જોઈ મહારાણી, રાજા અને નટરી પણ કેવળજ્ઞાન પામે છે. ઘાતી કર્મો ની બે દી તુટતાં ત્રણે કેવળી ! ભાવધર્મની પ્રધાનતા પર શાસ્ત્રકારો આ દૃષ્ટાંત આપે છે . વાર ચાર ઉત્તમ આત્માઓ કેવી થઈ મુક્તિપુરીના મહેમાન બને છે ! શ્રી મ.ભદેવના પાદપમથી પુનિત થયેલી અયોધ્યામાં હરિસિંહનું શાસન હતું. પદ્માવતી પટરાણીથી પૃથ્વીચંદ્ર નામના પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્ર પહેલેથી વિરાગી હતો. ઠીક થઈ રહેશે, એમ માની આઠ કન્યા સાથે લગ્ન કરાવ્યાં. પૃથ્વીચંદ્ર અગમનિગમના વિચારમાં ચઢે છે. સોળે શણગાર સજી પ્રેમરસથી તરબોળ કરવા પત્નીઓ અવનવા ઉપાયો અજમાવે છે. સિંહાસન પર બેઠેલા હોવા છતાં ર.વવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. તે આત્મધ્યાનમાં મસ્ત છે. ઉદાસીન ભાવમાં આરૂઢ થયા. સંસાર નીરસ લાગે છે. હૃદય વૈરાગ્ય-રંગથી રંગાઈ ગયું છે. પૃથ્વીચંદ્ર રાજ્યારોહણ પછી સમસ્ત પ્રજાને ધર્મમાં મસ્ત કરી દીધી. અલિપ્ત અને નિર્લેપ થઈ રાજ્યની ધુરા વહે છે. સદ્ગુરુના સંયોગની આશા સેવે છે, કેમ કે તેમના સાંનિધ્યમાં આત્મકલ્યાણ કરી શકે. તે દરમ્યાન એક વેપારી આવ્યો. કૌતુકનું વર્ણન કરે છે. ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્ર ગુણસાગરના જીવનપરિવર્તન પર વિચાર કરે છે : - હું ક્યારે મહામોહને જીતી કેવળ લક્ષ્મીને પામીશ? ક્યારે દીક્ષા લઈ ગુરુ સેવા કરીશ? ક્યારે પર્વત પર કે ગિરિગુહામાં કે શૂન્યાગારમાં કાયોત્સર્ગમાં દદાકાર, તલ્લીન થઈશ ? ભાવનારૂપ પવનના વાયરામાં ઘનઘાતી કર્મોનો ચૂરો થયો. રાજ્યસભામાં સિંહાસન પર પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન થાય છે ! કેવળી ભગવંતના મુખથી પૂર્વભવનું વર્ણન સાંભળી રાજારાણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તમામ સ્ત્રીઓ ઉત્તમ ભાવના ભાવે છે. તે ક્ષણે ઘાતી કર્મોનો ચૂરો કરી કેવળજ્ઞાન પળમાં પ્રાપ્ત કરે છે. આ અલૌકિક ઘટનાથી અયોધ્યામાં આ પૂર્વ આનંદની છોળો ઊછળી. ગુણસાગરને લગ્નની ચોરીમાં વિધિ દરમ્યાન કેવળજ્ઞાન ! હસ્તિનાપુરમાં રત્નસંચય નામના મહાન ધર્માત્મા શ્રેષ્ઠીને લક્ષ્મીના અવતાર સમી સુમંગલા નામની પત્ની છે. ગુણના સાગર જેવો પુત્ર થયો. માતાને સ્વપ્નમાં સાગરનું પાન કરવાનું સ્વપ્ન આવ્યું. તેને અનુરૂપ પુત્રનું નામ ગુણસાગર પાડ્યું. યૌવન પ્રાપ્ત થતાં અવનવી વિદ્યા તથા કળાનો સ્વામી બન્યો. એક શ્રીમંતની આઠ કન્યા સાથે લગ્નનું માગું આવ્યું. એકદા રાજમહેલના ઝરૂખામાંથી શ્વેત વસ્ત્રથી સજ્જ મુનિરાજ જોયા. e Only For Private & Personal Use Only Jain Education International ' www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy