________________ પ૦ : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પછી ક્ષાયિક સમ્યત્વી બની જૈન ધર્મના અનુરાગી બન્યા. દેવની અવકૃપાથી મેતરાજનાં લગ્નમાં ભંગ પડ્યો. ફરીથી તેનાં લગ્ન આઠ કન્યા સાથે થયા તથા ત્રણ ચમત્કારોથી ચકિત કરેલા શ્રેણિકે પણ પોતાની કન્યા તેને પરણાવી. નવ નવયૌવના સાથે હવે મેતરાજ રાજમહેલમાં ભોગ ભોગવે છે. પૂર્વભવનો દેવ ફરીથી પ્રતિબોધે છે, તેથી સંપૂર્ણ સાહ્યબીને સર્પ જેવી રીતે કાંચળીને ત્યજી દે તેમ સુખવંભવાદિને તિલાંજલિ આપી સાધુપણું અંગિકાર કરે છે. તેઓ એક વાર માસક્ષમણના પારણે ધર્મલાભ આપી સાધુ સોનીને ઘેર પ્રવેશે છે. અનેરા ભાવથી વહોરાવે છે. ધર્મલાભ આપી ચાલ્યા જાય છે. આ સોની પ્રતિદિન શ્રેણિક માટે નવાં નવાં સોનાનાં જવલાં ઘડે છે . મુનિના ગયા પછી જવલાં ગુમ થયાં. તે મુનિ પાછળ દોડ્યો. જવલાં આપી દેવા જણાવ્યું. પક્ષી તે હડપ કરી ગયું છે, તેમ જાણતા હોવાથી મુનિ મૌન રહ્યા. ખૂબ ધમકાવે છે. ન કહેવાના શબ્દો ક્રોધથી કહે છે. મુનિએ મૌન ગ્રહણ કરી એક અક્ષર પણ ઉચ્ચાર્યો નહીં. તેણે મુનિના મસ્તક પર લીલી વાધરી વીંટાળી. તડકે ઊભા રાખ્યા. ઘોર વેદના સમતાપૂર્વક સહન કરી. તેઓ જીવરાશિને ખમાવે છે, પાપનો પશ્ચાત્તાપ કરે છે. વાધરીથી આંખના ડોળા બહાર નીકળી ગયા, સો ખેંચાઈ, સમભાવમાં કર્મોના બંધ ફટોફટ તૂટી ગયા. કેવળજ્ઞાન થયું ! ત્યારપછી સોનીએ ત્યાં લાકડાનો ભારો ભોંય પર પછાડ્યો. તેના અવાજથી જવલાં ચણી ગયેલું પક્ષી ચરહ્યું અને તેમાં જવલાં જોયાં, શ્રેણિકથી ગભરાઈ તેણે મુનિના વસ્ત્રાદિ ગ્રહણ કરી લીધાં, તેથી તેને અણગાર દશામાં જોઈ શ્રેણિકે દીક્ષા માટે છોડી દઉં છું, જો તે છોડીશ તો તારો ઘાટ ઘડીશ એમ કહ્યું. નબીરો ઈલાચીકુમાર રૂપાળી નટડી પાછળ પાગલ બન્યો હતો. વારંવાર ખેલ કરવા છતાં રાજા તુષ્ટ ન થવાથી પાંચમી વાર વાંસ પર ચઢ્યો. રાજા ખુશ થાય છે, તે થાક્યો છે, નીચે પડે તો નટકન્યા મને મળે, એમ રાજા, વિચારે છે. પરંતુ રાજમહેલની સામેની હવેલીમાં નવયૌવના શેઠાણી રંગબેરંગી ઝીણાં ઝીણાં વસ્ત્રોમાં સજ્જ થઈને મુનિવરને ગોચરી માટે આમંત્રે છે. મુનિ યુવાન છે, લલાટ ચમકી રહ્યું છે, ચહેરો તેજ મારે છે. લાભ આપવા પધારે છે. મોદકના થાળમાંથી લાભ આપવા આગ્રહપૂર્વક વહોરાવે છે. તેઓ નિર્વિકાર નીચી દષ્ટિ રાખી ઊભા છે. ઇલાચીના જીવનમાં પરિવર્તન થાય છે. મુનિરાજને કોટિ કોટિ વંદન. પોતાને ધિક્કારે છે. પશ્ચાત્તાપ કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે. એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ કે તેણે ચાર ઘાતી કર્મોનો ચૂરો કર્યો. વાંસ પર કેવળજ્ઞાન ! દેવો કેવળીનો મહિમા કરવા આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org