SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પળમાં પેલે પાર - 47 - પશુઓના કાળો કકળાટ સાંભળી રાજિમતીનો હાથ ન પકડનારા નેમિકુંવર પાસે, દીક્ષિત થયેલા નેમિનાથ પાસે મસ્તકે હાથ મુકાવી દીક્ષા લીધા પછી, એક વાર ભીંજાયેલાં વસ્ત્રો સૂકવતાં નિર્વસ્ત્ર રાજિમતીને પૂર્વે પ્રવેશેલા રથનેમિ વિષય ભોગવવા જણાવે છે. સુંદર સદ્બોધથી પથ પર લાવેલા રથનેમિ ભગવાન પાસે (પશ્ચાત્તાપપૂર્વક) આલોચના કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને રાજિમતી પણ કેવળી બને છે. હૃદયમાં લાગેલા તીવ્ર ડંખથી કેવું પરિવર્તન ! ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. અનેક કન્યા સાથેના લગ્નને તિલાંજલિ આપી નેમિનાથ સ્વામીજીની દેશના સાંભળી વૈરાગ્યવાસિત થઈ દીક્ષા લીધી. તેમના જોરદાર લાભાંતરાય કર્મથી જે કોઈ તેની સાથે જોડાય તે સાધુને પણ ભિક્ષા ન મળે ! પૂર્વભવ પ્રભુ પાસે સાંભળી અભિગ્રહ કર્યો કે, “બીજાની લબ્ધિથી મેળવેલી ભિક્ષા વાપરવી નહિ.” પ્રભુને કૃષ્ણ પ્રશ્ન કર્યો કે, “આપના મુનિમાંથી મહાદુષ્કરકારી કોણ ?' પ્રભુએ ઢંઢણનું નામ સૂચવ્યું. ઢંઢણ જ્યારે ભિક્ષા માટે ફરે છે, ત્યારે લોકોને તેના આગમનથી નફરત થાય છે, બહાર નીકળો, કેમ આવ્યા છો ? હે ગંદા વસ્ત્રધારી ! ઓ મૂંડિયા ! તે અપશુકન કર્યું વગેરે. તેઓ અપાર સમતામાં રહે છે, તે વાક્યો તેમને અમૃત સમાન લાગે છે. ઢંઢણનાં દર્શન થતાં હાથી પરથી નીચે ઊતરી કૃષ્ણ તેમને વંદનાદિ કરે છે. તે જોઈ નજીકના ઘરવાળા ભિક્ષાર્થે બોલાવે છે. “શું મારો લાભાંતરાય દૂર થયો?' મુનિએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું, “ના. કૃષ્ણની લબ્ધિથી ભિક્ષા મળી છે.' ભિક્ષાને પરઠવા તેઓ નિર્જીવ ભૂમિમાં જઈ ભિક્ષાનો ચૂરો કરતાં કરતાં પોતાનાં ચીકણાં કર્મોનો તથા પોતાના ભારે કર્મીપણાનો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં જ કૈવલ્ય પામી, ઘનઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો ! અને મોક્ષ ! છ છ જીવોની નિર્દય હત્યા કરનાર દઢપ્રહારીએ જ્યારે તેઓના જીવનના કરણ અંતનું દશ્ય જોઈ અંત લાવવા વિચાર કર્યો ત્યારે વનમાં મળી ગયેલા મુનિરાજના ઉપદેશથી સાધુ થઈ પાપ ધોવાનો મનસૂબો કર્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે જે દિવસે કોઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઉપવાસ કરવો, આ જ પ્રદેશમાં રહેવું. ભિક્ષાર્થે જનારા આ મુનિને જોઈ આ પોતાના સ્વજનનો હત્યારો છે તેથી ખૂબ મારતા, પાપનું સ્મરણ થતાં પાછા ફરતા, ઉપવાસ કરતા. ભારે સમતાથી મારપીટ કરનારા મારા ઉપકારી એમ ગણી ઘોર ઉપસર્ગ છ માસ સહન કરી કૈવલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy