SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 253 દ્વારા સાનુબંધ અર્થાતુ ઉત્તરોત્તર ફળની અવશ્ય પ્રાપ્તિ થવી તે ફલાવંચકયોગ. તેવા મહાત્માઓની સાથે સંયોગ થવાથી, તેઓએ આપેલા ઉપદેશ પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહા ઉત્તમ ફલપ્રાપ્તિ થાય તે બીજો. ફલાવંચક ભાવ ગણાય. સાધ્ય પ્રાપ્તિરૂપ મહા ઉત્તમ ફલાવંચકભાવ તો ઘણી ઊંચી કક્ષાએ પ્રાપ્ત થાય છે. કોઈક વાર સાધ્ય ધર્મોની પ્રાપ્તિરૂપ ફળ અવાંતર દશામાં પણ થઈ શકે છે. આ બંને યોગોની પ્રાપ્તિરૂપે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભગતિની પ્રાપ્તિ તે ફળાવંચક. વંદનીય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગદષ્ટિ સમુચ્ચયની ૧૧મી ગાથામાં યોગની વ્યાખ્યા આમ કરી છે : અતત્ત્વયોગો યોગાનાં યોગઃ પર ઉદાહતઃ | મોક્ષયોજન ભાવેન સર્વસંન્યાસલક્ષણઃ || એક યોગમાં દષ્ટિભેદે અનેક ભેદ પડે છે. એવી મુખ્ય આઠ યોગદષ્ટિ છે. દષ્ટિ એટલે સમ્યક શ્રદ્ધાથી યુક્ત બોધ, આત્માની પરિણતિ જેમ જેમ સુધરે અને વિકસિત થતી જાય તેમ તેમ ઉપર ઉપરની યોગદષ્ટિ સુલભ બને છે. તેમાં ઉત્તરોત્તર અશ્લેષાદિ ગુણ વધે છે, ખેદાદિ દોષો ત્યજાતા જાય છે. યમ આદિ યોગના 8 અંગ ઉત્પન્ન થતા ચાલે છે તે છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - તરૂપ આઠ દષ્ટિનાં નામો આ પ્રમાણે છે : મિત્રા-તારા-બલા-દીપ્રા-સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા. જૈનદર્શનમાં આની સમકક્ષ આત્મવિકાસનાં 14 પગથિયાંની સીડી કે જેને ગુણસ્થાનો કહેવાય છે. તેમાં 14 ગુણઠાણાની વિચારણા કરવામાં આવી છે. ધર્મની સરખામણી એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. જેવી રીતે ભૂમિમાં વાવેલા બીજનો વિકાસ થતાં બીજમાંથી અંકુર, મૂળ, થડ, ડાળી, પાંદડાં, ફૂલ અને ફળ આવે છે તેવી રીતે ધર્મવૃક્ષમાંથી મોક્ષરૂપી ફળ બીજાધાનમાંથી ફલિત થાય છે. બીજની અવસ્થા કોઈપણ જીવને સંસારના ચરમાવર્તકાળમાં જ આવે છે. તેથી અધિક કાળમાં 10 સંજ્ઞાનો ભારે જોસ, ભવાભિનંદી હોઈ, સંસારમાં આંખ ચોંટેલી હશે, મોક્ષરુચિ કે અભિલાષાનો અભાવ હશે. આ અંકુરાદિ કેવી રીતે છે તે જરા જોઈએ. ધર્મચિંતા એ અંકુર, ધર્મનું સત્ શ્રવણ એ મૂળ (સ્કન્ધ), ધર્માનુષ્ઠાન એ પેટા ડાળી, દેવ-મનુષ્યની સ્થિતિ તે પુષ્પ સમાન અને તેનું ફળ એ મોક્ષ છે. અહીં ધર્મપ્રશંસા, કુશળ ચિત્ત, ઉચિત કૃત્યકર્મરૂપ બીજમાંથી, અંકુરભૂત ધર્મચિંતા અને ધર્મની હાર્દિક અભિલાષા પ્રગટી ધર્મને જીવનમાં ઉતારવાની ભૂખ લાગે છે, ગરજ લાગે છે, તમન્ના જાગે છે. ગુરુ પાસે શ્રવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy