SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 248 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે જે પંચમ દૃષ્ટિએ લભ્ય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સંસાર ત્યજી દીક્ષા લે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે શક્ય બને છે. જ્યારે તાત્ત્વિક ધર્મસંન્યાસ યોગની પરા ભૂમિકા(દષ્ટિ)માં જ પ્રાપ્ત થાય છે. તેની પરાકાષ્ઠાએ યોગસંન્યાસ થતાં આગળ ગતિ કરી જીવ પરમાત્મભાવ પામે છે. ટૂંકાણમાં બાહ્ય ધર્મસંન્યાસ છકે ગુણસ્થાનકે, જ્યારે તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમાં ગુણસ્થાનકે જ શક્ય છે. ક્ષમા વગેરે ધર્મો ક્ષયોપશમ ભાવ ત્યજી ક્ષાયિક ભાવ પ્રાપ્ત થાય તેને ધર્મસંન્યાસ કહેવાય. ક્ષમા, માદેવ, આર્જવ, લોભાદિ ત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌર્ય, અકિંચનત્વ, બ્રહ્મચર્ય એ દશ ધર્મો તથા ત્યાગભાવના સંયમો સારી રીતે હાંસલ કરી ન જાય તેવાં બનાવે છે. ત્યાર સુધી તેઓ આવે, જાય તેવાં હતાં. ક્ષાયોપથમિક ભાવના હતા તે હવે ધર્મમાં કાયમના સ્થિર થાય છે જેને ક્ષાયિક ભાવ કહી શકીએ. આ બીજા યોગસંન્યાસમાં શરીરાદિ વ્યાપાર પર અંકુશ આવી જાય છે, યોગની પ્રાપ્તિ થાય છે. બીજી વખત અપૂર્વકરણ કરી અપ્રમત્ત યતિ ક્ષપકશ્રેણિ માંડે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. યોગસંન્યાસમાં કાયિક તેમજ માનસિક યોગોનો સંપૂર્ણ ત્યાગ થતાં અયોગ ઉત્કૃષ્ટ યોગ મળે છે જે યોગસંન્યાસ નામે ઓળખાય. આગળ વધીએ તે પૂર્વે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સમજીએ. ધર્મસંન્યાસમાં ધર્મ તરીકે ક્રોધમોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી નીપજનારા ક્ષમાદિ ધર્મ લેવાના છે; યોગસંન્યાસમાં યોગ તરીકે કાયોત્સર્ગ, વિહાર ઉપદેશાદિ કાયાદિની પ્રવૃત્તિ લેવાની છે. આનો સદંતર ત્યાગ એ ધર્મ-યોગ-સંન્યાસ. ક્ષમા, નિસ્પૃહતાદિ આત્માના સહજ ગુણ છે જે મોહનીય કર્મોથી આવરાઈ ગયા છે એનો ક્ષયોપશમ અર્થાત્ અંશે નાશ કરવાથી ક્ષયોપથમિક ક્ષમા નિસ્પૃહતાદિ ગુણ પ્રગટે છે ખરા, પરંતુ સિલકમાં કર્મો પડ્યાં છે તે ક્યારેક બળવાન થઈ ઉદયમાં આવી જાય. ક્ષમાદિને ફરી ઢાંકી દે, તે ભય ટાળવા કર્મોનો સર્વથા ક્ષય કરવો જોઈએ. તેથી ક્ષાયોપશમિક ક્ષમાને બદલે ક્ષાયિક (કર્મયથી ઉત્પન્ન) ક્ષમાદિ ધર્મ પ્રગટ થાય, જે હવે શાશ્વત કાળ રહેવાના. આ ક્ષમાદ ક્ષયોપશમથી પેદા થનારા ક્ષમાદિ ન કહેતા, કારણ કે તે હવે છૂટી ગયા, ત્યાગ થઈ ગયો એનું નામ ધર્મસંન્યાસ. આ કાર્ય જે ધર્મવ્યાપારથી થાય એનું નામ ધર્મસંન્યાસસામર્થ્યયોગ. આ રીતે ક્ષાયિક ક્ષમાદિ ધર્મ યાને વીતરાગતા સિદ્ધ કરી. પરંતુ આયુષ્ય વગેરે કર્મ ઊભાં છે. ત્યાં વિહાર ઉપદેશ વગેરે કાયિકાદિ યોગની પ્રવૃત્તિ હોય છે. તેથી આત્માને નવું કર્મ બંધાય છે, તો તેનો ત્યાગ કરવો જોઈએ. તે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy