SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 240 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. આ બન્ને અસામાન્ય કોટિના હોય તો જ કાર્યસિદ્ધિ થાય ને? આ સંદર્ભમાં આપણો કરાતો ધર્મ કેટલો પાંગળો છે તે સમજાય છે ને? સામાન્ય જન સાંસારિક પૌલિક સુખ માટે કે સ્વર્ગીય સુખ માટે ધર્મ કરતો જોવા મળે છે. આ બન્ને પ્રકારનાં સુખ ઝાંઝવાના જળ સમાન, અનિત્ય, અશાશ્વત અને નાશવંત છે, કેમ કે મુક્તિ સિવાયનું કોઈ પણ સુખ કે દુઃખ તેનાં મિશ્રણ વગરનું હોતું જ નથી. આ સુખ દુઃખમય, દુઃખ ફલક અને દુઃખ પરંપરક છે (પંચસૂત્ર). તુવે યુવકને ફુવીyવંઘ (પંચમૂત્ર) અત્રે ઉલ્લેખ કરાયેલા ધર્મના સ્વરૂપને તેની આરાધનામાં નિરાશસભાવે ઉપયોગ પ્રમુખતા આરાધકોમાં સમ્યગ્દર્શન કે સમકિત સામે ચાલીને આવશે; કેમ કે તે સધળા ગુણોનું મૂળ છે. તેના વિના ગુણો સાચા સ્વરૂપમાં ગુણની કક્ષામાં આવતા નથી. તેથી યમ અને પ્રશમને જિવાડનાર સમક્તિ છે. જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે. તપ તથા શ્રેતાદિનો હેતુ સમકિત છે. અનંતજ્ઞાનીઓનું આ ફરમાન છે. ચારિત્ર અને જ્ઞાન વિનાનું દર્શન શ્લાઘનીય છે; પરંતુ મિથ્યાત્વથી દુષિત જ્ઞાન અને ચારિત્ર ગ્લાધ્ય નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાના શ્રેણિક મહારાજા સમ્યગ્દર્શનના માહાભ્યથી શ્રી તીર્થંકરપદને પામશે. જ્ઞાન અને ચારિત્ર નહીં એવાં જીવો સમ્યગ્દર્શનના પ્રભાવથી અનુપમ સુખના નિદાનરૂપ મોક્ષ પામે છે, જે સંસારસાગરને પાર પામવા માટે વહાણ સમું છે, દુઃખરૂપી કાંતારને સળગાવી મૂકવા માટે દાવાનળ સમું છે. તે એક સમ્યગ્દર્શન નામના રત્નનો આશ્રય કરો, કારણ કે જીવનમાં ધર્મારાધના દ્વારા પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યકતા છે. ઉપરની ચર્ચાવિચારણાના વિહંગાવલોકનરૂપે કહી શકાય કે જીવ માર્ગાનુસારી બની છેલ્લા ચરમાવર્તકાળમાં પ્રવેશે ત્યારે તેને મોક્ષાભિલાષ, મોક્ષરૂચિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા નિર્વેદ પામી તહેતુ અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્ઠાન કરવા તૈયાર થયો હોવાથી જે સમયને ધર્મયૌવનકાળ કહી શકીએ એ પૂર્વ ધર્મબાળકાળ હતો; જ્યારે કાન્તાદષ્ટિ જેવી દષ્ટિ વિકસેલી. ન હોવાથી ઓઘદૃષ્ટિને હવે ત્યજી ખંતપૂર્વક, યોગ્ય સુપુરુષાર્થ કરી મોક્ષ તરફ હરણફાળ ભરી શકાય તેવી ધર્મારાધના કરી મોક્ષપદ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy