SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય લોકો કહે છે કે “વર વિના જાન હોય નહિ.' તેમ તત્ત્વજ્ઞો કહે છે કે આત્મા વિના કર્મ કે ધર્મની વિચારણા હોય નહિ. આત્માને કર્મનું બંધન છે અને તેમાંથી મુક્તિ ત્યારે જ મળે કે તે કર્મના બંધનમાંથી હંમેશના માટે મુક્ત થઈ જાય. તે માટેનું સાધન તે છે ધર્મ. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે : લÇણ માણસત્ત કલંચિ અઈદુલહં ભવસમુદ્ર | સમ્મ નિઉજિયધ્વઃ દુસલેહિ સયા ધર્મામિ || પ્રત્યેક દર્શને ધર્મનો ઉપદેશ કર્યો છે. ધર્મની વ્યાખ્યા જુદી જુદી રીતે આપવામાં આવી છે. ધારણા, ધર્મ, પતિત કે પતનશીલ પ્રાણીનું જે રક્ષણ કરે, ધારણ કરે તે ધર્મ. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે : તુલ્ય ચતુર્ણા પૌમધ્યે પાપયોરર્થકામયોઃ | આત્મા પ્રવર્તતે હા, ન પુનર્ધર્મમોક્ષયોઃ | આચાર્ય ભગવંતે ધર્મની વ્યાખ્યા આમ આપી છે : દુર્ગતિ પ્રપતનું પ્રાણિન ધારયતે ઇતિ ધર્મ શાસ્ત્રમાં આમ છે : ...દિભાવનાપૂર્વક યથોદિતઅનુષ્ઠાન ધર્મઃ " ધમ્મો આણાએ પડિબદ્ધો | કોઈ કહે છે કે ધર્મ એટલે સેવા, કર્તવ્ય, ફરજ, નીતિ, સદાચાર, પ્રભુભક્તિ, દાન, સુવિચાર, જ્ઞાનોપાસના, કુલાચાર. કોઈ કહે છે કે ધર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધો. આ વ્યાખ્યાઓ એકાંગી છે, સંપૂર્ણ નથી કેમ કે તે દ્વારા ધર્મ શબ્દનો મર્મ, યથાર્થ ભાવ દર્શાવી શકાતો નથી. તેની સાચી સાદી વ્યાખ્યા આ પ્રમાણે છે : દુર્ગતિપ્રસૃતાનું જનૂન, યસ્માદ્ ત્રાયતે પુનઃ | દત્તે ચેતાનું શુભ સ્થાને યસ્માદ્ ધર્મ ઇતિ મૃતઃ || દુર્ગતિમાંથી બચાવી સગતિમાં લઈ જાય તે ધર્મ છે. ધર્મ શબ્દ છે એટલે ધારણ કરવું એ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. દરેકની ઓળખ માટે લક્ષણો હોય છે. શ્રી શય્યભવસૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રારંભિક ગાળામાં તેનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy