________________ 226 4 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આ અંગે નવસ્મરણ તરફ જરા દૃષ્ટિ ફેરવીએ. તેના આઠમા કલ્યાણ મંદિર સ્મરણની ૩૪મી ગાથા આ પ્રમાણે છે : ભજ્યોલ્લસત્પલકપસ્યલદેહદેશાઃ પાદદ્વયં તવ વિભો.. ભજ્યો નતે મયિ (39); સાન્દ્રોલ્લસત્પલકકંચુકિતાંગભાગા ત્વઢિમ્બનિર્મલમુખાબુજબદ્ધલક્ષા યે સંસ્તવ તવ વિભો ! રચયન્તિ ભવ્યાઃ (43). ઘણું ઘણું અહીં સૂચવાયું છે. જૈનશાસનમાં સમ્પર્વની ઘણી મોટી કિંમત આંકવામાં આવી છે. તે મહત્ત્વનું તેમ જ દુર્લભ છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમાદિ વિરતિ પ્રગટાવે, દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયો હોય અને ચારિત્રમોહનીયનો ભારે ઉદય હોય એવું બને. સમ્યગ્દષ્ટિઓમાં સર્વવિરતિધર હોય, દેશવિરતિધર અને અવિરતિધર પણ હોય. વિષયોનું સેવન, પરિગ્રહી, ષટકાયની હિંસા કરનારો, અસત્ય, અદત્તાદાન, મૈથુનાદિ દોષો સેવનાર માટે શાસ્ત્ર કહે છે કે તેઓ માટે નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ છે એટલું જ નહીં પરંતુ દેવતાઈ સુખો, માનવીય સુખ, મુક્તિ સુખ સ્વાધીન છે ! એનો કેવી રીતે મેળ બેસે? અહીં મનોભાવ કે ભાવનાનો વિચાર કરવો પડશે. દુઃખી હૃદયે, કચવાતા હૈયે, રડતી આંખે જો સમ્યક્ત પામેલો પણ પાપોદયના ઉદયે લાચાર હોય તો પશ્ચાત્તાપના બળે સુગતિ તરફ ડગ માંડી શકે છે. રાવણ અને શ્રેણિક રાજા બને નરકગામી હોઈ આયુષ્યબંધ પૂરો થતાં છેક તીર્થકર બનવા સુધીનો મોટો કૂદકો મારી શક્યા છે ને ! ચોથે પાંચમે ગુણઠાણે સમ્યગ્દષ્ટિ હોય ને? તે ઉપર વર્ણવેલાં વિષયાદિનું સેવન કરતો હોય ને? સંસારમાં રહેલો છે માટે આ પ્રવૃત્તિઓ કરે છે, કરવી પડે છે. તેની માન્યતા એવી છે કે આ બધું કરવું એકાંતે નિતાંત ખરાબ જ છે અને આવો જીવ નરક કે તિર્યંચ ગતિનું આયુષ્ય ન બાંધે, દેવલોકનું અને વૈમાનિકનું જ બાંધે ! ઉપર જણાવેલાં પાપો ભરપૂર કરતો હોવા છતાં પણ ચોથે, પાંચમે ગુણઠાણે અને સમક્તિ હોવાને લીધે આ ઇનામ મળે છે. મહાપાપોદય હોવાથી આ પાપો દુભાતા હૃદયે, દુઃખી દિલે કર્યો જાય છે. પાપોના અણગમાથી પેદા થતું ઉત્પન્ન (મંદમિથ્યાત્વને) કર્યા વિના સમ્પર્વ આવતું જ નથી. દર્શનમોહનીયનો ક્ષયોપશમ તાત્ત્વિક રીતે આત્માને દેખતો કરી દે છે. હેય હેય જ લાગે, ઉપાદેય ઉપાદેય જ લાગે, જે કાર્ય દર્શનમોહનીયના ક્ષયોપશમથી નિષ્પન્ન થાય. તેના પ્રતાપે શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે, માર્ગને આચરવારૂપ જે સમ્યકુચારિત્ર છે તેના ક્ષયોપશમ વિના પમાય નહીં. ચારિત્ર પામવાની ભાવના દર્શનમોહનીયના યોગે આવે જેનો અમલ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org