SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ નરકના નિવાસીઓ - 199 પણ તે વરસાદ ઝરમર ઝરમર નહીં. કુરુકે પાદપૂર્તિ કરી : નિત્ય મુશળધારાભિ (નિત્ય મુશળધારાથી) તેમને આટલાથી સંતોષ ન થયો. જો દિવસે અને તે પણ બે કલાક જ વરસે તો? આગળ બોલ્યા : યથા રાત્રૌ તથા દિવા (રાત અને દિવસે પણ). કુણાલા નગરીમાં વહોરવાર્થે આવેલા લબ્ધિ સંપન્ન મુનિનું વચન નિષ્ફળ તો ન જાય ને ! આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. મુશળધાર વરસાદ વરસ્યો. લોકો આનંદવિભોર થઈ નાચવા લાગ્યા, ખુશખુશ થઈ ગયા ! વરસાદ વણથંભ્યો એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર-પાંચ, છ, દશ-બાર દિવસ. પંદર દિવસમાં તો નાચી ઊઠેલા લોકો તૂટી રહેલાં વૃક્ષો જુએ છે; ઝૂંપડાં તણાવા લાગ્યાં, ઢોરો તણાયાં, મકાનો પડવા લાગ્યાં, માણસો પણ છેવટે તણાયાં, સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. કુણાલા નગરી તારાજ થઈ ગઈ. નગરજનોને સજા કરી મુનિઓએ સહિષ્ણુતાને નેવે મૂકી દીધી હતી. ક્રોધાવેશમાં આ લબ્ધિસંપન્ન મુનિવરો ત્યાંથી મૃત્યુ પામી સીધા અસહ્ય, અકાઢ્ય વેદનાની ગર્તા સમી સાતમી નરકના મહેમાન થયા ! ઘોર સાધના, ઉગ્ર તપશ્ચર્યા, સંયમની પવિત્ર ચર્યાઓ નિરર્થક બની. નરકે જવાથી તેના પર પણ પાણી ફરી વળ્યું ! શલાકાપુરુષોમાં અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ સાતમી નરકે, ત્રિપૃષ્ઠ વાસુદેવ સાતમી નરકે, તારક પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, દ્વિપૃષ્ઠ વાસુદેવ છઠ્ઠી નરકે, સ્વયંભૂ વાસુદેવ છઠ્ઠી નરકે, મેરક પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષોત્તમ વાસુદેવ છઠ્ઠી નરકે, મધુ પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષસિંહ વાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષ પુંડરિક વાસુદેવ છઠ્ઠી નરકે, સુભૂમ ચક્રવર્તી સાતમી નરકે, દત્ત વાસુદેવ પાંચમી નરકે, લક્ષ્મણ (નારાયણ) વાસુદેવ ચોથી નરકે, રાવણ (દશમુખ) ચોથી નરકે, કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકે, જરાસંધ પ્રતિવાસુદેવ ચોથી નરકે, બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતમી નરકે ગયા છે. સામાન્યતઃ વાસુદેવો અને પ્રતિવાસુદેવો જૈન માન્યતા મુજબ નરકે જતા હોય છે. તેવી રીતે ચક્રવર્તીને જો મોક્ષ પામવા જેવાં શુભ કર્મોદય ન હોય તો બ્રહ્મદત્ત અને સુભૂમ ચક્રવર્તીની જેમ નરકે જાય, કારણ “રાજેશ્વરી તે નરકેશ્વરી !" સુભૂમ ચક્રવર્તીના પાપનો ઉદય થયો ત્યારે છ ખંડના ભોક્તા, ચૌદ રત્નોના સ્વામી, નવ નિધાનોના અધિપતિ, બે હજાર યક્ષો જેની સેવા કરવામાં તત્પર હતા, છતાં પણ સમુદ્રમાં ડૂબી ગયા ! વળી જે સુભૂમ ચક્રવર્તીના હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું, સ્થળ કે જળમાં વિહાર કરી શકે તેવો હતો; જલના બે ભાગ કરી શકતો, પક્ષીની જેમ આકાશમાં ઊડી શકતો, ભૂમિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy