SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 196 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જેમ એક ભૂખ્યા ભિખારીને અચાનક રત્નનો ચરુ મળી જાય અને તે ત્યારે આનંદની પરાકાષ્ઠા અનુભવે તેવી રીતે અનુષ્ઠાનાદિમાં પરાકાષ્ઠા આવવી જોઈએ. ભયંકર તીવ્ર પાપ કરનારાઓએ જેમ પાપ કરવામાં પાછું વાળી જોયું નથી, તેમ આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરી ધર્મ કરવામાં પણ પાછું વળી જોયું નથી ત્યારે તેઓ તે જ જન્મમાં મોક્ષપુરી પહોંચી શક્યા છે. આ રહી તેવી વ્યક્તિઓ : વંકચૂલ, દઢ-પ્રહારી, અંગુલિમાલ, શિવકુમાર, સુવ્રતમુનિ, ચિલાતીપુત્ર, વગેરે તથા પાછા ફરી પશ્ચાત્તાપના અગ્નિથી શેકાઈને શુદ્ધ થઈ નીકળેલા મહાનુભાવો જેવાં કે ચંદનબાળા, મૃગાવતી, નાગકેતુ, અરણિકમુનિ, આષાઢાચાર્ય, ઇલાચીપુત્ર, શ્રેણિકના પુત્ર નંદિષેણ, નાસ્તિક અસંતમ, પુંડરિકે એક જ દિવસની દીક્ષા લીધા પછી આત્મકલ્યાણ સાધ્યું. પ્રદેશી રાજા, રાજા કુમારપાળ, મેઘકુમાર, સ્થૂલિભદ્ર, વૈયાવચ્ચી નંદિષણ પરિવર્તન કરી ઉપર આવી ગયા. કષાયોથી અભિભૂત ન થનારા નંદકમુનિ, સુદર્શન શેઠ, સુલસા જેવા ઘણાંને ગણાવી શકાય. ઉપર જણાવેલા મહાપુરુષો તથા સન્નારીના જીવનમાં જે જાતનું પરિવર્તન આવ્યું તથા દઢતાપૂર્વક તન્મયતા તથા તદ્રુપતાથી જેમ સાધના કરી તે દ્વારા તેઓએ પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરી કર્મલાઘવમય જીવન જીવી જાણ્યું. ટૂંકમાં પાપ કરવામાં જેમ અહોભાવ તથા પાછું વળી જોયું નથી તેમ ધર્મ કરવામાં અહોભાવ તથા પાછું વળી ન જોવાય તો પુણ્યાનુબંધી પુણ્ય મેળવી કર્મ-લાઘવ બની જીવનસાફલ્ય થઈ શકે. હવે ઉપરના લખાણના સાર સંક્ષેપમાં આમ કહી શકાય. કર્મલાઘવ માટે પુણ્યાનુબંધી પુણ્ય મેળવવા આટલું આવશ્યક છે : (1) ધર્મહીન પૂર્વજીવનની ધર્મહીન પાપી દશા તથા પાપ પ્રત્યે તીવ્ર સંતાપ અને પશ્ચાત્તાપ, (2) અનુષ્ઠાનાદિ અર્થે અત્યંત અહોભાવ, ગદ્ગદભાવ, રોમાંચ, હર્ષાશ્રુ, (3) સાધનામાં તન્મયતા, તદ્રુપતા, તલ્લેશ્યા, (4) સાધનામાં શુદ્ધ નીતરતો નિરાશસભાવ, નીરિકપણું, (5) જેટલા જોસથી પાપાચરણો કય તેટલા કે તેથી વધુ જોસ અને ખંતથી સાધના, (6) ધર્મલેશ્યાની નિરંતર સતત વૃદ્ધિ, (7) આહારાદિ દશ પાપસંજ્ઞા જેવી કે ચાર કષાયો, ભય, નિદ્રા, વિષયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આલસ્યાદિનો ત્યાગ કરવાથી કર્મલાઘવ અને તેના ફળ સ્વરૂપ : સંસારસાગરાઓ ઉમ્મુડો મા પુણો નિબુડિજ્જા | ચરણકરણ વિખૂહીણો બુફઈ સુબહુપિ જાણતો | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy