SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 190 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ન હોય તો ભવિતવ્યતાથી જીવ વ્યવહારરાશિમાં આવે તો પણ તે ક્યારે પણ કાળની અનુકૂળતા પામી શકે નહીં. જીવનો ભવ્યત્વ સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા ન મળે તો જીવ વ્યવહારરાશિમાં પણ આવી શકે નહીં. તો પછી કાળની અનુકૂળતા મળે જ નહીં. પરંતુ જો જીવની ભવ્યત્વ સ્વભાવ હોય, ભવિતવ્યતા એને અનુકૂળ થઈ તેને વ્યવહારરાશિમાં મૂક્યો હોય તો તેને ગમે ત્યારે કાળની અનુકૂળતા થવાની જ. પરંતુ જ્યાં સુધી કાળની અનુકૂળતા મળે નહીં ત્યાં સુધી કર્મોની અનુકૂળતા મળે તો પણ તે નિરર્થક નીવડે. જીવ જ્યારે ચરમાવર્તન પામે તે પછી જ કર્મ સંબંધી અનુકુળતા કાર્યરત નીવડવાની. અને તે પણ ભવિતવ્યતા અનુકૂળ હોવી જોઈએ. હવે જોઈએ તો સૌ પ્રથમ ચરમાવર્તકાળ, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય, ત્યારબાદ જ શુદ્ધ ધર્મસ્વરૂપ સમ્યક્ત જે સર્વ ઈષ્ટની પૂર્તિ માટે કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની પ્રાપ્તિ થાય છે. આ ચરમાવર્તકાળ ભવ્યાત્માને જ થાય તેવો નિયમ નથી. આ સ્થિતિ અભવ્યો તથા દુર્ભવ્યોને પણ થઈ શકે. બીજું ચરમાવર્તને પામ્યા પછી જીવ અચરમાવર્તમાં સરી શકતો નથી. કેમ કે જીવને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતી વાર થઈ શકે છે. તેથી મિથ્યાત્વાદિન નિમિત્તે આત્માના પરિણામ દ્વારા અશુભ કર્મોનો સંચય ન થાય તે માટે જાગરૂકતા રાખવી અતિ આવશ્યક છે. કર્મલઘુતા માટે અશુભ પરિણામ પ્રગટે નહીં, પ્રગટે તો તે વધુ તીવ્ર ન બને; શુભ પરિણામ બન્યાં રહે તે ખૂબ ખૂબ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ બન્યા રહે તે માટે સતત કાળજી તથા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવી રીતે જીવ જ્યારે ગુણસંપન્ન બનતો જાય તેમ તેમ કર્મોનો શુભબંધ વધતો જાય, અશુભ બંધ ઘટતો જાય અને તેથી નિર્જરાનું પ્રમાણ વધ્યા કરે. અનાદિ કર્મસંતાન સંવેષ્ટિત આ રીતે શુભ કર્મોની વૃત્તિ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ પહોંચે છે. નદીગોલપાષાણ ન્યાયે ભવ્યાદિ જીવો અનંતી વાર યથાપ્રવૃત્તિકરણ સુધી તો પહોંચી શકે, પરંતુ તધાભવ્યત્વાદિના અભાવે આગળ ન વધી શકે ! કર્મસ્થિતિની લધુતા યથાપ્રવૃત્તિકરણ દ્વારા તો થઈ ગઈ. બધા જ જીવો શ્રત અને ચારિત્રધર્મની આંશિક આચરણ કરી શકે. તે દ્વારા દ્રવ્યશ્રત અને દ્રવ્યચારિત્ર પણ પામે તે કોઈ અભવ્યાદિ જીવો દ્રવ્યથી ઉત્કટ લઘુપણું પાળી નવરૈવેયક સુધી અને નવ પૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. અહીં શુદ્ધ ભાવના અભાવે તથા મિથ્યાત્વના પ્રાબલ્યથી યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી શકતા નથી. રાગદ્વેષનાં ગાઢ પરિણામોના પ્રતાપે અશુભ કર્મોપાર્જન કરી આગળ વધતા નથી. આથી અભવ્યાદિ ત્રણ પ્રકારના જીવો ગ્રંથિદેશની પ્રાપ્તિ, દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તેઓ સંસાર-ભ્રમણનો નાશ કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy