SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય * 177 જિનાગમોમાં વર્ણવેલાં તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય જેના યોગે ભગવાનના વચનની પ્રામાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય. - તત્ત્વની અપ્રતિપત્તિ સાક્ષાત્ પણ નહીં ને પરંપરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિયાદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે તે અનાભોગ મિથ્યાત્વ છે. પંચેન્દ્રિયોમાં પણ જેઓ મુગ્ધ હોય એટલે કે શું તત્ત્વ અને શું અતત્વ એવા પ્રકારના અધ્યવસાયોથી રહિત હોય તે જીવોનું મિથ્યાત્વ અનાભોગ મિથ્યાત્વ કહેવાય. આટલા વિવેચન પછી આટલા નિષ્કર્ષ પર આવી શકાય કે મિથ્યાત્વ એ બધાં પાપોનો બાપ છે. તેને દૂર કર્યા વગર સમકિતી ગુણ પ્રાપ્ત ન થઈ શકે: ચરમાવર્તકાળને પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક પ્રકારમાં સમ્યગ્દર્શનને નહીં પામેલા જીવો અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન પામેલાનો. ચરમાવર્તકાળ પામેલા ભવ્ય જીવોને સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી તેઓ પણ તે પામે નહીં. તે કાળને પામેલા બે પ્રકારના ભવ્યાત્માઓ જ યથાવિધિ ધર્મોપદેશને યોગ્ય છે એવું પ્રતિપાદન કરીએ ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે તે જીવો મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ આટલું ધ્યાનમાં રહે કે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે, તેમાં પણ જેઓ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. બંને પ્રકારના જીવો, મિથ્યાષ્ટિ તેમજ સમ્યગ્દષ્ટિ, બંને ચરમાવર્તકાળ સુધી પહોંચી શકે તો પછી ભેદભાવ કેમ ? મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે પામ્યા વગર ભવ્ય જીવો પણ સિદ્ધિપદ પામી શકતા નથી. તે સઘળી સામગ્રી પામીને જ મોક્ષ પામે. તે માટે આગળ પર ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું છે તે છે :- મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રદ્ધાદિ અને તેમાં પણ ધર્મશ્રદ્ધા વિશેષ કરીને સુષ્માપ્યા છે. મનુષ્યપણાથી લઈને ધર્મશ્રવણ સુધીની સામગ્રી અભવ્ય તેમજ દુર્ભવ્ય જીવોને પ્રાપ્ત થઈ શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો ફક્ત ભવ્યાત્માઓને જ છે અને તે પણ તેવા ભવ્યાત્મા કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તન જેટલા કાળથી અધિક ન જ હોવો જોઈએ ! મોક્ષની ઇરછા માત્ર ભવ્ય જીવોમાં જ પ્રગટે છે અને તે પણ જેઓ એક પુદ્ગલપરાવર્ત કાળમાં મુક્તિ પામવાના હોય. જેઓનો સંસારવાસ તેથી વધુ હોય તેઓમાં મોક્ષ ઉત્તમોત્તમ સાધ્ય છે, ધર્મ તેનું સાધન છે અને તેના દ્વારા સાધ્ય સિદ્ધ કરવું છે. આવી દશા અભવ્ય તેમજ દુર્ભવ્યોમાં પણ સંભવી શકે જ નહીં. આ કાળસ્થિતિ પામેલામાં પણ મંદમિથ્યાત્વવાળા હોવા જોઈએ. તેનું જૈન-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy