SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન - 171 માટે ક્ષપકશ્રેણિ માંડવી જ જોઈએ. ક્ષપકશ્રેણિ ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ, પાંચમ, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે પણ માંડી શકે છે ! તે માટે પ્રથમ સંઘયણાદિ જોઈએ તેમ ચોથું ગુણસ્થાનક પણ આવશ્યક છે. પહેલે ગુણસ્થાનકે રહેલો અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત અગર મતાંતરે સાયોપથમિક સભ્યત્ત્વ પામી શકે પણ સીધો ક્ષાયિક સમ્યક્ત પામી ન શકે. કોઈ જીવ વિશેષ અંતિમ ભવમાં, અંતિમ કાળમાં મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ-સમ્યક્ત પામે, ક્ષાયોપથમિક સમ્યક્ત પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત પામે, ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ ક્ષીણ કરી, ત્રણ બાકીનાં ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી આયુષ્યના અંતે શેષ જ અઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી મોક્ષ પામી જાય. ટૂંકાણમાં ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત છે - જેમ કે પશમિક, માયોપથમિક અને ક્ષાયિક - તેમાં ક્ષાયિક માટે ક્ષપક શ્રેણિ માંડવી જ પડે. કાર્યગ્રંથિક અભિપ્રાય પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવ સમ્પર્વ પામે ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મગ્રંથિને ભેદ્યા પછી તે જીવ અનિવૃત્તિકરણ દ્વારા અંતરકરણ પેદા કરી સત્તાગત દળિયાના ત્રણ પુંજ કરી, ત્યારબાદ ત્રણ પુંજમાંથી સમ્યક્વમોહનીય પુંજનો ઉદય થતાં ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે. તેમાંથી મિથ્યાત્વ મોહનીય પુંજનો ઉદય થતાં પહેલા ગુણસ્થાનકને પામે તથા મિશ્રમોહનીયરૂપી અર્ધશુદ્ધ પુંજનો ઉદય થતાં ત્રીજા મિશ્રગુણ સ્થાનકને પામે છે. આમ આવો જીવ પહેલાં પથમિક સમ્યક્ત જ પામે તેના કાળમાં જ ત્રણ પંજ કરી ક્ષાયોપથમિક સમ્યક્ત પામે, કાં તો ત્રીજા મિશ્રગુણ સ્થાનકને પામે, કાં તો ફરી મિથ્યાદષ્ટિ બને. સૈદ્ધાત્ત્વિક મત પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. એવો જીવ ઔપથમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે. જ્યારે જે જીવ ઔપથમિક સમ્યક્ત પામે તે કાળ રૂપી અંતરકરણ કાળ સુધી સમ્યક્તના આસ્વાદ પામી પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે, એટલે કે ઔપથમિક સખ્યત્વના કાળમાં ત્રણ પંજ કરે જ નહીં. સમ્યક્ત પામ્યા પછી તેનો સંસાર પરિત્ત એટલે કે પરિમિત અથવા મર્યાદિત થઈ જાય છે. સમ્યક્ત વમે નહીં તો પગલપરાવર્તની અંદર મોક્ષ પામે. અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સમયમાં કે ફક્ત અંતર્મુહૂર્તમાં પણ મોક્ષ પામી શકાય. તે માટે પુણ્યાત્માઓએ સમ્યક્તના રક્ષણની કાળજી રાખવી. દિનપ્રતિદિન તે વધુ ને વધુ શુદ્ધ બને એવો પુરુષાર્થ કરવાનો છે. રાગ અને દ્વેષથી સંસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy