SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 21 સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાના આ જગત અનાદિકાલીન છે. તેમાં બે મુખ્ય પદાર્થો જેવા કે જડ અને ચેતન છે. જગતના પદાર્થો કાં તો ચેતન યા જડ છે. જડ કર્મોના સંયોગથી સંસાર છે, જડના સંસર્ગોથી જીવ સર્વથા મુક્ત બને ત્યારે મુક્ત બન્યો કહેવાય. કર્મ જડ છે છતાં પણ તેનો જીવ સાથેનો સંબંધ અનાદિકાળથી છે. જડ કર્મોનો સંબંધ બંધાય છે, છૂટે છે, તેની પરંપરા અનાદિકાલીન છે. તેથી જીવને અનાદિકર્મવેખિત કહેવાને બદલે અનાદિકર્મ(સંતાન)સંવેષ્ટિત એટલે અનાદિકર્મની પરંપરાથી વિંટળાયેલો કહેવો વધુ યોગ્ય છે. જીવ અનાદિકાળથી કર્મપરંપરાથી વેષ્ટિત છે, તેથી તેને સમ્યક્ત દુર્લભ છે. છતાં પણ જીવને સમ્યત્વ સુલભ બનાવ્યા વગર ચાલે તેમ નથી. તેના વગર સાચો ગૃહસ્થધર્મ કે સાધુધર્મ પામી શકાતો નથી. સમ્યક્ત રત્નચિંતામણિથી વધારે મહત્ત્વનું છે. જેને જીવે સંસારસાગરમાં ક્યારે પણ પ્રાપ્ત કર્યું નથી. જૈન દાર્શનિક ગ્રંથોમાં સમ્યક્તનું વર્ણન અનેકાનેક રીતે કરાયું છે. જેમ કે તે ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તે પરિત્ત થયો હોય. કહ્યું છે કે : જીનવયણે અનુસ્તા જીવનયણે કરેંતિ ભાવેન | અમલા અસંક્ષિણા ભવત્તિ પરિત્તસંસારી ! એટલે કે રાગ અને દ્વેષરૂપી ગ્રંથિ અલ્પ, નહિવતું મળવાળી બની હોય, સંકલેશનો ક્ષય થયો તે જીવ પરિત્ત સંસારી કહી શકાય. - જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મ અને ચારિત્રધર્મની આંશિક આચરણા કરી રહેલા જીવો માટે કહી શકાય કે આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ઘણી ક્ષીણ થઈ હોય. તે પલ્યોપમના અસંખ્યાત ભાગે ઊણી એક કોટાકોટિ સાગરોપમથી અધિક ન હોવી જોઈએ. આવો જીવ શ્રુત અને ચારિત્રધર્મનું આચરણ કરતો હોઈ તે જીવ હવે ક્યારે પણ કોટાકોટિ સાગરોપમથી વધારે કર્મો સંચિત નહીં કરી શકે. તે જીવ સંસારમાં આયુષ્યકર્મ સિવાય એક પલ્યોપમના અસંખ્યાત ભાગે ઊણી એવી એક કોટાકોટિ સાગરોપમથી અધિક સ્થિતિનાં કર્મો ઉપાર્જિત કરી શકતો નથી. મહાજ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે જ્યાં સુધી જીવ ગ્રંથિદેશે આવવા જોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy