SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 158 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન થાય છે, પણ તે અતાત્ત્વિક હોય છે; જ્યારે જીવ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય છે ત્યારે જે તેને ક્ષાયિક ભાવે તે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે પ્રવજ્યા લે ત્યારે ધર્મપ્રાપ્તિ થાય; એ સાધારણ કક્ષાની ધર્મસંન્યાસી યોગ્યતા ભવવિરક્તને જ શક્ય છે. જે વ્યક્તિમાં શાસ્ત્રમાં નિર્દેશેલા દીક્ષાને યોગ્ય ગુણસમુદાય હોય, ઉન્નતિ ક્રમમાં આગળ વધેલો હોય તે પ્રવજ્યાને યોગ્ય ગણાય; અને તેથી તે ધર્મસંન્યાસવાન થઈ શકે. ધર્મસંન્યાસ વિષે જરા વિગતે જોઈએ. સમ્યગ્દર્શન પામે તે પૂર્વે જીવ જે અપૂર્વકરણ કરે છે તે પ્રથમ અપૂર્વકરણ છે. બીજું અપૂર્વકરણ નવમા ગુણસ્થાનકેથી શરૂ થતી ક્ષપકશ્રેણિ માટે આઠમા ગુણસ્થાનકે કરાય છે. અહીં પણ પહેલાંની જેમ અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વરસધાત, અપૂર્વસ્થિતિબંધ, ગુણશ્રેણિ અને ગુણસંક્રમ પાંચ કાર્યો કરાય છે. વિશેષ કરીને તે ચારિત્રમોહનીય કર્મમાં થાય છે. તેનું બળ એટલું બધું હોય છે કે પછી તો પરિણામે આગળ શ્રેણિમાં મોહનીય કર્મનો સર્વથા નાશ થઈ જાય છે; અને આત્મા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને યથાખ્યાત ચારિત્રવાળો અને વીતરાગ બને છે. આવું અપૂર્વકરણ સામર્થ્યયોગ નામના ધર્મવ્યાપારથી થાય છે. આ પહેલા પ્રકારનો ધર્મસંન્યાસ છે, કારણ અત્રે અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ છે. સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરતાં જ સાવદ્ય પ્રવૃત્તિરૂપ સાંસારિક ધર્મોનો, લૌકિક ધર્મોનો ત્યાગ કરવો પડે છે. કારણ કે સંસારમાં રહ્યા એટલે ચૂલો, ઓલો, રસોઈ, પાણી, કમાવવું વગેરે બધા જ ધર્મો બજાવવા પડે છે ને ? આ બધા અતાત્ત્વિક ધર્મો છે. અત્રે ષકાય જીવોના આરંભ-સમારંભ, કુટુંબરાગ, પરિગ્રહ, વિષયસેવન વગેરે પાપપ્રવૃત્તિરૂપ છે. એવા અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ પ્રવજ્યા-દીક્ષા સમયે પણ થાય છે. સંસારમાં મોદ્યોગ હતો. મોહરૂપ મમતામાયાની પ્રવૃત્તિ ચાલતી. સંસારી જીવ જેવું પોતાના કુટુંબને સંભાળશે એવાં પાડોશીનાં નહિ. પોતાનાં ધન, માલ, દુકાન વગેરેનાં જતન કરશે તેવાં બીજાનાં નહિ. પોતાની માયાને અનુલક્ષીને સંસાર-વ્યવહાર ચલાવે છે. દીક્ષિત વ્યક્તિ મૂળ માયાનો ત્યાગ કરે છે. પોતાની કાયા સિવાય ધન, માલ,પરિવાર વગેરેનો સંબંધ ત્યજી દે છે. ત્યાર પછી સંપૂર્ણ અહિંસાદિ મહાવ્રતો, એની રક્ષા માટે આઠ પ્રવચનમાતા (સમિતિ-ગુપ્તિઓ), પચીસ ભાવનાઓ, આવશ્યકાદિ ક્રિયાઓ, તપ, ત્યાગ, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ ઇત્યાદિની સાધના કરે છે. આ બધું જ્ઞાનયોગ સ્વરૂપ છે, કારણ કે એ સમ્ય જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિઓ છે. “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ' જ્ઞાનનું ફળ-કાર્ય વિરતિ છે. પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ છે. પાપથી વિરમવાનું છે. જ્ઞાન પોતે જ વિરતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy