SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય - 155 કર્મોનો પણ ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. અહીં જીવ યોગરહિત અને કેવળજ્ઞાન સહિત હોવાથી અયોગી કેવળી કહેવાય છે. તેની સાથે રહેલું સમકક્ષ સ્વપ્ન ધુમાડા વગરના ઊર્ધ્વગામી અગ્નિનું છે. અગ્નિ પણ ઊર્ધ્વગતિ કરનાર છે; તેમજ આ ગુણસ્થાને રહેલો જીવ લોકાકાશની ટોચે રહેલી સિદ્ધ શિલા ઉપર રહી સતત અગ્નિશિખાની જેમ ઉપર ને ઉપર જ રહે છે. અગ્નિશિખા જેમ ઊર્ધ્વગતિ કરે છે તેમ સિદ્ધશિલા લોકાકાશની ટોચે, અલોકાકાશની અને લોકાકાશની મધ્યમાં, કેન્દ્રમાં આવેલી છે. આ રીતે ચૌદ ગુણસ્થાન અને તીર્થકરની માતાને આવેલાં 14 ઝળહળતાં સ્વપ્નોમાં સામંજસ્ય, સમ્યકક્ષતા કે સરખાપણું રહેલું છે તે ઘટાવવા એક નમ્ર પ્રયત્ન કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy