SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 147 દેવસી અને રાઈ પ્રતિક્રમણમાં 4 લોગસ્સનો કાઉસગ્ગ, પાક્ષિકમાં 12 લોગસ્સ, ચઉમાસીમાં 20 લોગસ્સ, સંવત્સરિ પ્રતિક્રમણમાં 40 લોગસ્સના કાઉસગ્ગ (ઉપરાંત એક નવકાર કરાય છે. સામાયિક તથા દિન-રાતના પ્રતિક્રમણમાં 48 મિનિટ પછી પાડી શકાય. રત્નાકર પચ્ચીસીના 25 શ્લોક, 11 સતીઓ, વંદીત્તા સૂત્રની 50 ગાથા, માર્ગનુસારીના ૩પ બોલ, શ્રાવકના 21 ગુણો, ભાવ શ્રાવકના 7 લિંગ તથા 17 લક્ષણ. ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી છે. 18 દેશના રાજાઓ તથા અન્ય પર્ષદાને 16 પહોર સુધી રાગમાં ઉપદેશ આપી કર્મોના ફળ બતાવવા માટે વિપાક સૂત્ર જેમાં પુણ્ય તથા પાપના અધ્યાયો છે તે પણ ફરમાવ્યું. ઉત્તરાધ્યયનમાં 36 અધ્યયનો છે. શાસ્ત્રમાં 10 પ્રાણ ગણાવ્યા છે. એકેન્દ્રિયને 4, બેઈન્દ્રિયને , તે ઇન્દ્રિયને 7, ચૌરેન્દ્રિયને 8, અસંજ્ઞ પંચેન્દ્રિયને 9 તથા સંજ્ઞી મનવાળાને 10 પ્રાણો હોય છે. તે આ પ્રમાણે છે : પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાળ, બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. તેમાંના કોઈનો પણ વધ કે હિંસા ન કરવી તે જૈનોની અહિંસા છે. અહિંસાના પરમોપાસક ભગવાન મહાવીરે તપશ્ચર્યામાં ઉષ્ણજળનો પણ ઉપયોગ કર્યો નથી. સાડા બાર વર્ષના સાધના કાળ દરમ્યાન ફક્ત 349 દિવસ પારણાં કર્યાં. તથા 12aa વર્ષમાં ફક્ત 48 મિનિટની નિદ્રા લીધી. પ્રભુએ માલકૌશ રાગમાં બોલી ઉપદેશ ફરમાવ્યો : ત્રિગડે બેસી ધર્મ કહેતા સુણે પર્ષદા બાર, જોજનગામી વાણી મીઠી વર્ષતી જળધાર. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજીને 350 ઉપરાંત શિષ્યો હતા. પંચિંદિય જે સામાયિક લેતાં તથા પારતાં ઉચ્ચારવાનું હોય છે, તેમાં આંકડાઓ છે. જેમ કે, 5, 9, 4, 18, 5, 5, 5, 3, 36. કેટલાક મુનિપુંગલો જોઈએ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ઘણી કૃતિ રચી જેમાં ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર અનુપમ કોટિનો સંસ્કૃતમાં લિપિબદ્ધ કરાયેલો મહાગ્રંથ છે. વિશાળ સાધુસમુદાય ધરાવનારા ગચ્છાધિપતિ આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરને લગભગ 345 શિષ્યો તથા 500 સાધ્વીઓ હતાં. ગચ્છાધિપતિ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીને 210 શિષ્યો હતા. [સુમંગળ આચાર્યને પC)0 શિષ્યો હતા.] ઉપરના ત્રણેમાં સાધુના 14 લિંગો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy