SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 128 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સર્વોત્કૃષ્ટ બતાવી ભાગવતાદિ ભક્તિસભર ગ્રંથોમાં ભક્તિરસ સુંદર રીતે અંકિત કર્યો છે. ઈષ્ટદેવની ઉપાસના અથવા મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં જ્ઞાન, તપ, ચારિત્ર, ભક્તિ છે. આ બધાંમાં સૌથી સુલભ આમજનો માટે સફળ અને સુલભ માર્ગ તે ભક્તિ છે. કૃષ્ણભક્તોમાં મીરાં અગ્રસ્થાને છે. કલ્યાણમંદિર કરતાં બીજાં સ્મરણો (નવમાંથી) કેવી રીતે જુદાં છે તે તપાસીએ. પ્રથમ સ્મરણમાં માત્ર પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યો છે. બીજા સ્મરણમાં લોકોત્તર વાંછના કરી છે. ત્રીજા શાંતિકરમાં રોહિણી વગેરે દેવી તથા ગોમુહાદિ યક્ષાદિની પાસે સ્વરક્ષાની માંગણી કરી છે. જે લૌકિલ, પૌગલિત સુખાદિ આપે તેવી સ્પૃહા કરી છે. પાંચમા નિમિઉણમાં પણ કોઢ, તોફાનમાંથી નાવનું રક્ષણ, અગ્નિ, સર્પ, લૂંટારા, ગજેન્દ્ર, સિંહ, યુદ્ધ, રોગ, ચોર વગેરેમાંથી રક્ષણ થાય તેવી વિનંતિ કરી છે. છઠ્ઠા અજિતશાંતિમાં પણ સુખાદિ માંગ્યાં છે. આ સ્મરણમાં બે તીર્થકરો અજિતનાથ અને શાંતિનાથની સ્તવના કરી છે. અંતે અવિષાદ, વિષાદનો નાશ તથા પ્રસાદ કરો તેવી આશા વ્યક્ત કરી છે. આઠમા ભક્તામરમાં પ્રથમ સામાન્ય સ્તવના કરી ૩૪મા શ્લોકથી ઐરાવત, સિંહ, વડવાનલ, ભયંકર સર્પ, યુદ્ધમાં જય, સમુદ્રના તોફાનમાંથી રક્ષણ, જલોદરની વ્યાધિમાંથી મુક્તિ વાંછી છે. જીવવાની આશા ત્યજી દીધલાને સુંદર કાયાની વાંછના વગેરે સાંસારિક, પૌગલિક, ઓઘદૃષ્ટિ સંપન્ન અભિલાષા, આશંસા વ્યક્ત કરી છે. ઉપર્યુક્ત વિવેચનને લક્ષમાં રાખી આઠમા સ્મરણમાં આનાથી વિપરીત પરિસ્થિતિ દૃષ્ટિગોચર થાય છે. સૌ પ્રથમ આઠમા શ્લોકમાં પાર્શ્વનાથ પ્રભુ કે જેમને હૃદયગત કર્યા છે તેથી સ્વકાય સ્થિતિ પ્રભુમય બની છે. તેમના પ્રભાવથી નિબિડ એવાં નિકાચિત કર્મો શિથિલ થઈ જાય છે. ત્યારબાદ તમારા માત્ર દર્શનથી અસંખ્ય રૌદ્ર ઉપસર્ગો નષ્ટ થઈ જાય છે. હે તારક ! જે સંનિષ્ઠ હૃદયે તમને ધારણ કરે છે તે ભાવિક ભદ્ર જીવો સંસાર સમુદ્ર તરી જાય છે. તે સ્વામિન્ ! તમને હૃદયસ્ત કરેલાં એવાં ભદ્રિક જીવો બહુ સહેલાઈથી સમુદ્ર તરી જાય છે તેથી શું તીર્થકરનો પ્રભાવ વિચારણીય નથી લાગતો? ક્રોધને તિલાંજલી દીધા પછી તમે કર્મરૂપ ચોરોને વિધ્વસ્ત કર્યા છે. યોગી પુરુષો પણ હૃદયકમળમાં પરમાત્મા સ્વરૂપ એવા તમને શોધે છે. તે જિનેશ ! તમારા માત્ર ધ્યાનથી સાધક જીવ શરીર ત્યજી ક્ષણ માત્રમાં પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. જેઓના અંતઃકરણમાં આપ બિરાજમાન છો તેઓના શરીરનો નાશ કરો છો; એટલે કે મુક્તિ આપો છો. અભેદ બુદ્ધિથી ભદ્રિક જીવો તમારું ચિંતન કરતાં કરતાં તમારામય બની જાય છે; જેવી રીતે વિષ દૂર થતાં પાણી અમૃત બને છે. નષ્ટ થયો છે અંધકારરૂપી અજ્ઞાન જેમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy