SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 122 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સ્પષ્ટીકરણ કરતાં મુનિ પોતાની પૂર્વાવસ્થાની પરિસ્થિતિ વર્ણવે છે. સુખસાહ્યબી તથા પ્રેમી કુટુંબીજનો, મિત્રવર્ગ તથા ઔષધોપચાર છતાં પણ તેના નયનની પીડા કોઈ લઈ શક્યું કે મટાડી ન શક્યું, ત્યારે તેણે નિરાશસભાને સંકલ્પ કર્યો કે જો મારી નાનપીડા ટળી જાય તો બીજે દિવસે સંસાર ત્યજી રમાત્મકલ્યાણની આરાધનામાં ખૂપી જવું. ચમત્કારની જેમ તે શુદ્ધ સંકલ્પના બળે તેની પીડા દૂર થઈ. કેવો નિરાશ ભાવનો પ્રભાવ ! એક ગર્ભિણી સમડી તરતના બચ્ચા માટે ખોરાક લેવા ગઈ હતી ત્યારે પારધીના બાણથી વીંધાઈ ગઈ. વેદનાનું ભાન થતાં રડવા લાગી. કરુણાના ભંડાર સમા બે મુનિરાજો ઉપદેશ આપે છે કે ભગવાન મુનિવ્રતસ્વામીના શરણનો સ્વીકાર કર. પછી પંચ પરમેષ્ઠિ મહામંત્ર સંભળાવ્યો. એકાગ્રતા આવવાથી, વેદના ભુલાઈ, ધ્યાન બદલાયું, તેના પ્રાણ નીકળી ગયા; તે સિંહલદ્વીપમાં શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત રાજાના ચંદ્રલેખા પટ્ટરાણીની કૂખે સુદર્શના નામની પુત્રી મહાશ્રાવિકા થઈ. પારુચિ નામના શેઠે મરવાની અણીએ પડેલા બળદને કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો, તેનું રહસ્ય સમજાવ્યું; મરીને તે જ નગરમાં રાજાનો ઋષભધ્વજ નામે પુત્ર થયો. મથુરામાં ભરવાડનો વિવાહ-પ્રસંગ જિનદાસ શેઠે તેને બાપેલાં ઉત્તમ પ્રકારનાં સાધનોથી શોભી ઊઠ્યો. ભરવાડ દંપતીએ બે વાછરડાં ભેટ આપ્યાં. ચાર પગાની બાધા હોવાથી અતિથિ તરીકે સાચવે છે. એક વાર મોટા થયેલા બળદોને તેનો મિત્ર ખૂબ દોડાવે છે. તેઓ મૂછ પામ્યા. શેઠે અનશન કરાવ્યું, ધર્મ સંભળાવ્યો, નમસ્કાર મહામંત્ર સાંભળતાં પ્રાણ ત્યજ્યા. મરીને કંબલ સંબળ નામના દેવ થયા. તે બે દેવોએ ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉપસર્ગ કરનારને ભગાડી પ્રભુની ભક્તિ કરી. ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામે નગર હતું. આચાર્ય સુવ્રતસૂરિ સમુદાય સાથે ત્યાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. તેમાં દમસાર નામના તપસ્વી મૌની શિષ્ય હતા. તેમને જોતાં જ કષાયો, કુવૃત્તિઓ શમી જાય. એક ભીલ દંપતીને તેમને જોતાં હિંસક વિચારો ચાલ્યા ગયા, ભાવમાં પરિવર્તન આવ્યું. મુનિ પાસેથી નવકાર શીખી લીધો. મૃત્યુ બાદ ભીલ રાજસિંહ નામે રાજકુમાર થયો; ભીલડી મરી રત્નાવતી રાજપુત્રી થઈ. બંનેનાં ગાંધર્વ લગ્ન થયાં. દેવગૃહમાં સૂતેલાં તેમને રાક્ષસ મારવા તૈયાર થયો. બહાદુરીથી રાક્ષસને મહાત કર્યો. તેઓને ચિંતામણિ રત્ન આપ્યું. પતિ-પત્ની ધર્મમય જીવન જીવતાં નવકારના સ્મરણપૂર્વક અનશન કરી દેવલોકમાં ગયાં, જ્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મોક્ષ પામશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy