SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 117 માટે પરિણતિ. (5) ભવિષ્યમાં કરેલાં પાપો ફરી ન થાય તે માટે અકરણનિયમ. જેમણે આ પાંચ તત્ત્વો જીવનમાં વણી લીધાં છે તે પાપીઓનું ઉપરનાં દૃષ્ટાંતોમાં જીવનપરિવર્તન તથા કેવળજ્ઞાન કે મોક્ષપદની પ્રાપ્તિ જોવા મળે છે. ઉન્નતિ પછી અવનતિના ગર્તમાં પડવા માટે આટલું નોંધી શકાય કે ચૌદ પૂર્વધરો કે નવરૈવેયકમાં જનારો જીવ જો મિથ્યાત્વથી લુષિત હોય તો પ્રથમ ગુણસ્થાનકે ગબડી પડે છે; તથા ચૌદ પૂર્વોનો જાણકાર હોય, પરંતુ તેમાંના એક અક્ષર વિષે મિથ્યાત્વ હોય તો પણ ઉન્નતિ પછી અવનતિ થઈ શકે છે. જે પડે છે તે ઊભો થઈ શકે છે. જે બાળક ચાલે છે તે પડી ફરી ઊભો થઈ આવે છે. સમવસરણમાં ભગવાને કહ્યું છે કે, “ડિવારૂ અનંતા’ પડનારાઓની સંખ્યા અનંત છે, પરંતુ જે પડ્યા છે, સમજ્યા છે તેઓ જ ફરી ઊભા થઈ આગળ વધી શકે છે. તેથી કહેવાયું છે કે, “એ શુરા તે ઘને શુરા'. દઢપ્રહારી, અંગુલિમાલ, ચિલાતીપુત્ર, વંકચૂલ વગેરે કર્મ કરવામાં શૂરવીર હતા. તેઓ ધર્મ કરવામાં એટલું જ શૌર્ય કે તેથી અધિક બતાવી કલ્યાણકામી થઈ ગયા. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ એ ચારમાંનો એક પણ પાયો જો ગુમાવ્યો, અને આહાર, વિષય, પરિગ્રહ, ભય, નિદ્રા તથા ક્રોધ, માન, માયા લોભ એ આઠમાંની એક પણ સંજ્ઞાના રોકાણની શુદ્ધિ જો ગુમાવી તો તે વ્યક્તિ કવચિત વિવેકભ્રષ્ટ થઈ જાય છે. તેણે કરેલી ઊંચી ધર્મસાધનાને પાયા વિનાની અને શુદ્ધિ વિનાની બનાવી દેવા સમર્થ છે. વિવેકભ્રષ્ટ થયેલાંઓમાં આઠ સંજ્ઞામાંથી ગમે તે એક કે અધિક સંજ્ઞાનું પ્રાબલ્ય ભ્રષ્ટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકાણમાં વેશ્યાને ઘેર ન જવાની મર્યાદાના લોપે નંદિષેણ, નીચું જોઈને ચાલવાની મર્યાદાના લોપે લક્ષ્મણા સાધ્વી, અવગ્રહણમાં પ્રવેશ અંગે સ્ત્રીની મર્યાદાના લોપે સંભૂતિમુનિ, સંઘાટક સાથે ગોચરી જવાની મર્યાદાના અતિક્રમણે આષાઢાભૂતિ મુનિ, યોગ્ય કારણ હોવાથી પણ વિગઈઓના મર્યાદિત સેવનના લોપ કંડરિક મુનિ, નારી સામે નહિ જોવાની મર્યાદાના લોપે સિંહગુફાવાસી મુનિ વગેરેના ઉપર દોષોના હુમલા થઈ ગયા છે, અને પતન પામી ચારિત્ર લુપ્ત થઈ ગયું હોય છે. ઈર્ષ્યાથી રાજરાણી કુંતલા મરીને કૂતરી થઈ. નિયાણાથી વૈયાવચ્ચી નંદિષેણ ગબડ્યા, ગુલાંટ ખાઈ ગયા. ઉસૂત્ર પ્રરૂપણાથી જમાલિ, સાધ્વી રજ્જા, દર્પ અને અહંકારથી સિંહગુફાવાસી મુનિ, ક્રોધ થકી ચંડકૌશિક, મત્સરથી તથા દંભથી બાહુ-સુબાહુ, દષ્ટિરાગ તથા કામરાગથી કુલવાલક મુનિ વગેરે પોતાને સર્વજ્ઞ માનનારા તથા ગર્વ અને અભિમાનથી ચાર જ્ઞાન ધરાવનાર જાતને પંડિત શિરોમણિ માનનારા ગૌતમ મહાવીર સ્વામી દ્વારા સંબોધન પામતાં નમી પડી વિવેકહીનતાને તિલાંજલિ આપી તીર્થકરના પ્રથમ ગણધરપદને પામ્યા. 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy