SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 98 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યાગની તથા જુવારનું દ્રવ્ય વાપરવાની પ્રતિજ્ઞા આપી. મુનિમાંથી અભયસૂરિ બનાવી ગુરુદેવ મૃત્યુ પામ્યા. તેમને કોઢ થયો. ચેપી અને મહાપીડાકાર. સહન કરવાનું મુશ્કેલ થતાં ખંભાત પાસે આવેલી સેઢી નદીના કિનારે અનશન કરવાની પૂરી તૈયારી કરી લીધી. તે સમયે પદ્માવતીએ પ્રગટ થઈ અનશન કરતા વાર્યા, રોગની પીડાને શાંત કરી, સહ્ય બનાવી શેષ જીવન આગમગ્રંથોની ટીકા લખવા નમ્ર વિનંતી કરી. તદનુરૂપ નવ અંગોની ટીકા લખનાર નવાંગી ટીકાકાર અભયદેવસૂરીશ્વરે જૈનશાસનની બેનમૂન સેવા કરી જીવનને કૃતકૃત્ય કરી દીધું. યતમાંથી ઉન્નતિ જૈનશાસનમાં સુલભ છે. વાંકી ડોકવાળા મુનિને ગુરુએ સાપના દાંત ગણી લાવવા કહ્યું. સાપને દાંત ન હોય તેમ જાણતો હોવા છતાં પણ ગુરુની આજ્ઞાને શિરસાવંદ્ય ગણી તહત્તિ કરી સાપના રાફડા પાસે પહોંચી કાંકરા મારી સાપને છંછેડી બહાર કાઢયો. બહાર આવેલા સાપે ફૂંફાડો માર્યો. તેના ડરથી પાછળ હઠી ગયેલા શિષ્યને ઝાટકો લાગ્યો; અને તેની વાંકી ડોક સીધી થઈ ગઈ ! પ્રજ્ઞાપનીય શિષ્ય હતો ને ! તેથી અવળું કાર્ય તેના માટે સવળું થયું ! આજ્ઞા ગુરણાં અવિચારનિયા. સુખસમૃદ્ધિની છોળો ઊડતી હતી, માતા-પિતાની છત્રછાયા હતી, મિત્રમંડળ તથા સુશીલ પત્ની વગેરેનું વૈભવસુખ જેની પાસે હતું તે રાજવીની અચાનક આંખમાં અસહ્ય કારમી પીડા થઈ આવી. નોકરચાકરોની દોડધામ, સગાં-સ્નેહીની હૂંફ, વૈદ્ય વગેરેની સુશ્રુષા હોવા છતાં પણ જેની પીડા ઓછી ન થઈ. નાથ હોવા છતાં પણ અનાથ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તે રાત્રે એનો સંકલ્પ કરે છે કે જો સવાર પડતાં રોગ શમી જાય તો દીક્ષા લઈ લેવી. તેવું થતાં તે અનાથમુનિ બને છે. માત્ર પ્રતિજ્ઞાનો વિચાર જ ને ! - એક વાર મહારાજા શ્રેણિકનો ભેટો થાય છે. તે તેને કહે છે કે હું તારો નાથ થવા તૈયાર છું. તેના પ્રત્યુત્તરમાં તે પોતે જ અનાથ હોઈ કેવી રીતે મારો નાથ બનીશ? - તેવા પ્રત્યુત્તરથી ડઘાઈ ગયેલા શ્રેણિક જ્યારે નાથ-અનાથની સાચી પરિભાષા સમજે છે ત્યારે નાસ્તિક-શિરોમણિ જેવા શ્રેણિક અનાથમુનિના સમાગમથી ક્ષાયિક સમકિત બની ભાવિ પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થશે. ક્યાંથી ક્યાં ! કેવો પ્રતિબોધ ! અજૈન સાહિત્યિક કથાઓમાં ગોપીચંદનો પ્રસંગ વર્ણવાયો છે. તે યુવાન થયો હોવા છતાં પણ ઉશૃંખલ, વિલાસી, ધર્મવિમુખ તથા દૂષણોથી ભરપૂર હતો. તેની મા ધાર્મિક વૃત્તિવાળી સન્નારી હતી. એક વાર સ્નાન કરાવતી વખતે તેના પુત્રની ચારિત્રવિહીન દશા જોઈ દુઃખી થઈ અશ્રુ સારે છે. તેની આંખોમાંથી સરકેલું ઉષ્ણ અશ્રુબિંદુ ગોપીચંદના વાંસા પર પડ્યું. તેણે ઉપર જોયું. માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy