SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 97 અને દીક્ષા લીધેલા એવા દિયરને સદુપદેશ દ્વારા સાચા રાહ પર લાવી દે છે. પાણી પીવા માટે કમંડલને યોગ્ય માનીને માત્ર કમંડલનો પરિગ્રહ રાખનાર નગ્ન સાધુએ જ્યારે મોં વડે તળાવનું પાણી પીતા કૂતરાને જોયો ત્યારે કમંડલનો પણ પરિત્યાગ કરી દીધો ! હાથ વાળીને તેનું ઓશીકું બનાવી માથું ટેકવી સૂતા. રાજર્ષિ ભર્તુહરિની કોઈએ ટીકા કરી કે “હજી ઓશીકાની ટેવ પણ છૂટતી નથી ?' બસ તે સાંભળી હાથ વાળી, માથું ટેકવવાનું પણ છોડી દીધું ! કોઈ રાજાનું સૈન્ય ખૂંખાર જંગ લડી રહ્યું હતું. થોડે દૂર ઉદ્યાનમાં કેટલાક મુનિઓ પધાર્યા હતા. યુદ્ધમાં થાકેલા હાથીને ઉદ્યાનમાં બાંધવામાં આવ્યો હતો. તેની દૃષ્ટિ સતત મુનિઓની જીવનચર્યા તરફ રહેવા લાગી. તેના જીવનનું પ્રધાનકાર્ય જીવદયા હતું તે જોઈને હાથીના પરિણામે જીવદયામય થઈ ગયા. યુદ્ધભૂમિ પર લઈ જવાયો ત્યારે લડવા માટે સજ્જ ન થતાં બધાં આશ્ચર્યાન્વિત થયાં ! કરોડની સંપત્તિ લાવનાર બત્રીસ પત્નીઓ સાથે તેનું પાણિગ્રહણ થયું છે; તેઓના આલિશાન ભવ્ય રાજમહેલની વચ્ચે રહેનાર થાવસ્ત્રાપુત્ર ભગવાન નેમિનાથની વાણી સાંભળી દીક્ષિત થઈ ગયા. આ થાવસ્ત્રાપુત્ર આચાર્યે સુદર્શન શેઠને જૈન ધર્માનુરાગી બનાવ્યો તથા તેણે પોતાના ગુરુ શુક્ર પરિવ્રાજકને થાવસ્ત્રાપુત્ર પાસે લાવી શંકાનું સમાધાન કરાવી આત્મકલ્યાણના પંથે વાળી દીધા. પ્રતિબોધિત ભવ્ય જીવો હતા ને ! લગ્નના બીજે દિવસે દીક્ષા લેવાનું સ્વીકારાય તો લગ્ન માટે તૈયાર થયેલા જંબુ(સ્વામી)કુમાર પાંચસે ચોરોને, આઠ નવોઢા પત્નીઓને, પોતે પોતાનાં માતાપિતાને તથા કન્યાઓનાં માતા-પિતાને એમ પાંચસો સત્તાવીશ વ્યક્તિઓને એકીસાથે પ્રતિબોધિત કરનાર જંબુસ્વામી સુધર્માસ્વામીની પાટે છેલ્લા પૂર્વધર હતા. આગમોમાં 11 ગણધરોમાંથી જીવિત રહેલા સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચે ઘણા પ્રસંગો યોજાયા છે. ધારાનગરીનો શ્રેષ્ઠીપુત્ર અભય, ભરયૌવનમાં વિરક્ત થઈ જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા લે છે. પુણ્યના સ્વામી અભયકુમાર મુનિ બન્યા પછી એમની વિદ્વત્તા, રૂપ, વ્યાખ્યાનશક્તિ, અને એમના મધુર કંઠથી એક વાર રાજકુમારી મોહી પડી. વળી બીજા પ્રસંગે વીરરસોચિત યુદ્ધના વર્ણન દરમિયાન રાજપુત્રોએ મ્યાનમાંથી તલવારો ખેંચી કાઢી. આ પ્રસંગોમાંથી અભયમુનિના પતનને ખતમ કરવા આજીવન છ વિગયના જૈન-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy