SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ વંદનીય હૃદયસ્પર્શ શ્રી મનસુખલાલભાઈ પ્રમાણમાં નાની ઉંમરે વિધુર થયા હતા, પરંતુ તેમણે બીજા લગ્નનો વિચાર કર્યો નહિ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને સાદા ત્યાગમય જીવન તરફ તેઓ વળી ગયા હતા. તેઓ હંમેશાં ભૂખરા ભગવા રંગનું પહેરણ પહેરતા અને તે જ રંગની ટોપી પહેરતા. વસ્ત્રપરિધાનમાં તેઓએ સાદાઈ સ્વીકારી અને ટાપટીપને તિલાંજલિ આપી. તેવી જ રીતે તેઓ આહારમાં પણ એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા જતા હતા. - ધાર્મિક બાબતોમાં, આચાર અને વિચાર બંનેનો સમન્વય તેમણે સાધ્યો હતો. જીવનમાં અનેકાંતવાદને યથાશક્તિ ઉતારવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ નિયમિત દેરાસરે જતા, દર્શન-પૂજા વગેરે કરતા, આનંદઘનજી, યશોવિજયજી વગેરેનાં સુંદર ભાવવાહી સ્તવનો તેઓ ચૈત્યવંદનમાં ગાતા, વખતોવખત તીર્થયાત્રાએ જતા, પરંતુ તેઓ માત્ર ક્રિયાજડ ક્યારેય બન્યા નહોતા. બીજી બાજુ તેઓ માત્ર આચારહીન ચિંતક પણ નહોતા. જે કંઈ અમલમાં મૂકવા જેવું લાગે તેને તેઓ તરત જ આચરણમાં મૂકતા. સાધુ-સંસ્થા કે જૈન સમાજોમાં જે કંઈ ત્રુટિઓ જણાય તે માટે નિર્ભયપણે પણ પ્રેમથી કહેતા, ક્યારેક તે તે વ્યક્તિઓને મળીને તેઓ કહેતા, અને તેમની વાત સ્વીકારાતી, કારણ કે તેમાં અંગત સ્વાર્થ ન રહેતો, પરંતુ તેમાં વ્યક્તિના હિતની ભાવના રહેતી. શ્રી મનસુખલાલભાઈનું નિવૃત્ત જીવન ધાર્મિક પ્રવૃત્તિઓથી સભર રહેતું. તેઓ સવારના નવ વાગ્યા સુધી ટેલિફોન ઉપર મળતા. તે પછી તેઓ પોતાના માટેની જુદી રૂમમાં હીંચકા ખાતાં ખાતાં વાંચતા, વિચારતા કે લખતા હોય. તેઓ જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. કથાસાહિત્ય તો એમણે પુષ્કળ વાંચેલું અને ભિન્ન ભિન્ન સામયિકોમાં તેઓ નિયમિત રીતે જૈન કથાઓ લખતા. તેમની રજૂઆત સરળ, રસિક અને સાધારણ વાચકોને રસ અને સમજ પડે તેવી હતી. તેમણે “શીલધર્મની કથાઓ'ના બે ભાગ પ્રગટ કર્યા હતા, અને ત્યાર પછી પણ ઘણીબધી કથાઓ એમણે લખી હતી. શીલધર્મની કથાઓ'ની પ્રસ્તાવના મારે લખવી એવો પ્રસ્તાવ જ્યારે એમણે મારી પાસે મૂક્યો ત્યારે મેં કહ્યું, “તમે મારા વડીલ છો. મને લખતાં સંકોચ થાય. તમે કોઈ પીઢ લેખકને કહો.” પરંતુ એમણે મારે માટે જ આગ્રહ રાખ્યો અને છેવટે મારે એ પ્રસ્તાવના લખવી પડી. એમના આગ્રહમાં પ્રેમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy