SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૪૫ છે તો તમે જ જીપ લઈ જાવ, અમે બીજી વ્યવસ્થા કરી લઈશું.’ કાકા કહે, ‘જીપ તો તમે જ લઈ જાવ, હું બસમાં જ જઈશ.' બહુ આગ્રહ કરતાં કાકા કહે, ‘એમ કરો, મારું કામ પતાવી હું મહુડી આવીશ અને વળતાં તમારી સાથે પાછો આવી જઈશ.’ કાર્યક્રમની વિગતો નક્કી થઈ. મહુડી પહોંચવાનો અમારો સમય પણ નક્કી થયો. પરંતુ ચિખોદરાથી નીકળ્યા પછી તરત અમારામાંના એક મિત્રે બીજું પણ એક સ્થળ સમાવી લેવાનો આગ્રહ કર્યો. અને ચિખોદરાથી પહેલાં એ સ્થળે જવું અને પછી જ આગલોડ અને મહુડી જવું. પણ એ સ્થળનો રસ્તો લાંબો હતો. એટલે એમ કરતાં અમારી બસ સાંજના સાત વાગે મહુડી પહોંચી. પહોંચતાં જ ત્યાંના એક કર્મચારીભાઈએ કહ્યું, ‘દોશીકાકા તો તમારી બે કલાક રાહ જોઈને બસમાં ચિખોદરા ગયા.' આ સાંભળીને અમને બહુ અફસોસ થયો. જેમની જીપ છે તે બસમાં જાય ! અમારે એમની જીપમાં જવાનું ? વળી એમને બે કલાક રાહ જોવી પડી. ચિખોદરા અમે પહોંચ્યા તો કાકાએ પૂછ્યું, ‘કેમ મોડું થયું ?’ અમે એમની ક્ષમા માગી પણ એમણે એ વાતને સહજ ગણી, જરા પણ ચિડાયા નહિ કે ન ઠપકો આપ્યો, બલકે તેઓ હસતાં હસતાં અમારી સરભરામાં લાગી ગયા. દોશીકાકાની સમતાનું ત્યારે દર્શન થયું. દોશીકાકાની ભોજનની પ્રવૃત્તિ અત્યંત શાંત અને સંયમિત. સવારે તેઓ ચાર કે પાંચ વાનગી લે. આખા દિવસમાં આઠ વાનગી લે. જરૂર પડ્યે દાળ અને શાકનું મિશ્રણ કરે. પછી આખો દિવસ વચમાં કશું ન લે. ચોવિહાર કરે અને તેમાં ફક્ત ત્રણ વાનગી લે. પ્રવાસમાં અમે હોઈએ અને સાંજ પડવા આવે પણ પોતે કશું બોલે નહિ. ડ્રાઇવર યાદ રાખે. સૂકી ત્રણ વાનગીઓનો ભાનુબહેને ડબ્બો બાંધી આપ્યો હોય તો તે આપે. ચાલુ પ્રવાસે જ તેઓ આહાર લે. એ માટે ગાડી થોભાવે નહિ. કોઈ વખત વેળાસર હૉસ્પિટલમાં પહોંચી જવાની ધારણા હોય એટલે ભાનુબહેને કશું બંધાવ્યું ન હોય, પણ મોડું થાય તો ડ્રાઇવર કહે કે ભાનુબહેને કશું આપ્યું નથી. પછી પોતે જ રસ્તામાં કોઈ કેળાંની લારી ઊભી હોય તો કેળાં લાવે. તેમાંથી દોશીકાકા એક અથવા બે લે. કોઈ વા૨ રસ્તામાં કેળાં ન મળે તો કાકા ભૂખ્યા રહે, પણ કોઈને કહે નહિ, કોઈની ભૂલ ન કાઢે કે કોઈને ટોકે નહિ. મહેમાનોનું પ્રેમભર્યું સ્વાગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy