SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વંદનીય હૃદયસ્પર્શ આંખના દાક્તરો સાથે ડૉ. અધ્વર્યુને પરિચય થયો. એમના નિમંત્રણથી ડૉ. અધ્વર્યુ યુરોપની આંખની અને અન્ય હૉસ્પિટલની મુલાકાત લઈ આવ્યા. દરમિયાન એવા કેટલાક સ્વિસ દાક્તરોએ વીરનગરની શિવાનંદ મિશનની હૉસ્પિટલની મુલાકાત લીધી અને એના સેવાભાવી કાર્યથી બહુ રાજી થયા. કોઈક દાક્તરોએ તો ત્યાં રહીને પોતાની સેવા આપવી ચાલુ કરી. એક દાક્તર તો વર્ષોથી દર વર્ષે એક મહિનો વીરનગર આવીને ઑપરેશન કરતા રહ્યા છે અને હવે એમના પુત્ર પણ આવે છે. વીરનગર આવે ત્યારે તેઓ વીરનગરના થઈને જ રહે. બાપુજીની સાથે શુદ્ધ શાકાહાર ગ્રહણ કરે અને રોજેરોજ પ્રાર્થનામાં જમીન પર પલાંઠી વાળીને બેસે. સ્વિસ ડૉક્ટરોના સહકારને લીધે સ્વિન્ઝરલેન્ડ તરફથી વીરનગરની હૉસ્પિટલને આંખની તપાસ અને શસ્ત્રક્રિયા માટે મોંઘામાં મોંઘાં અદ્યતન સાધનો ભેટ મળતાં રહ્યાં છે. વીરનગરના કાર્યથી સ્વિસ ડૉક્ટરો એટલા બધા પ્રભાવિત થયા છે કે એક દાક્તરે તો લખ્યું છે કે શિવાનંદ મિશન હૉસ્પિટલનું ધોરણ જોતાં કહેવું પડે કે હવેથી કોઈ ભારતીય નાગરિકે આંખની શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની આવશ્યકતા નથી. ભારતમાં સારામાં સારાં ઑપરેશન થાય છે. ડૉ. શિવાનંદ અધ્વર્યુને પ્રત્યક્ષ મળવાનો પહેલો અવસર મને ૧૯૯૨માં મળ્યો હતો. મારા મિત્ર અને શિવાનંદ મિશનના એક ટ્રસ્ટી, રાજકોટના શ્રી શશિકાન્તભાઈ મહેતા મને ડો. અધ્વર્યસાહેબને મળવા માટે કહેતા. પણ એવો અવસર પ્રાપ્ત થતો નહોતો. રાજકોટમાં હું હોઉં અને તપાસ કરાવીએ તો ડૉ. અધ્વર્યસાહેબ બહારગામ હોય. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ એક સંસ્થાને આર્થિક સહાય માટે શ્રોતાઓને અપીલ કરવામાં આવે છે અને એકત્ર થયેલ નિધિ તે સંસ્થાને અર્પણ કરવામાં આવે છે. એ માટે પહેલાં સમિતિના સભ્યો તે સંસ્થાની મુલાકાત લે છે. ૧૯૯૨માં અમે કેટલાક સભ્યો એ પ્રમાણે શિવાનંદ મિશનની મુલાકાત માટે મુંબઈથી નીકળ્યા હતા. મુંબઈથી સૌરાષ્ટ્ર મેઇલમાં નીકળી અને રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન પર અમારું સ્વાગત કરવા બાપુજી પોતે આવ્યા હતા. એથી અમે બધાંએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાપુજીનું દાક્ષિણ્ય, એમની ઉદારતા, એમની વ્યવહારકુશળતા, એમનું સૌજન્ય, એમનો વિવેક – આ બધા ગુણોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy