SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી (આજે તો હવે સરિતકુંજ' પણ રહ્યું નથી.) રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, “હવે ડાબી બાજુ વળો.”અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, “આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.” પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ, એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.” પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું. પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષો જૂનાં મુંબઈનાં સ્મરણો તાજાં કર્યા. આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારા બંને સંતાનોને યાદ કર્યા અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.” પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. “સરિતકુંજમાંથી મુનિ જિનવિજયજીના મકાનમાં, “અનેકાંતવિહારમાં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર નીકળતા નહિ. પંડિતજીનું જીવન એટલે આજીવન વિદ્યોપાસના અને આજીવન બ્રહ્મચર્યની પણ ઉપાસના. અલ્પપરિગ્રહી, નિસ્વાર્થ, તપોમય એમનું જીવન હતું. પંડિતજી એટલે જંગમ તીર્થ. ૧૯૫૬માં હું અમદાવાદ છોડી મુંબઈ પાછો આવ્યો ત્યારથી તે તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પંડિતજીને મળવા જવાનું, વંદનાર્થે જવાનું તો અચૂક રાખ્યું હતું. છેલ્લે એમના અવસાનના ચારેક મહિના પહેલાં એક વખત મળવા ગયેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy