SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૦ પ્રભાવક સ્થવિરો બીજે દિવસે તા. ૧૯મી ડિસેમ્બરે, પાર્શ્વકલ્યાણકદિને બપોરે એમના મૃતદેહને “કમલ-કન્ફયા વિહાર'માં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ થયું અને એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે એકત્ર થયેલા ભક્તોએ પૂ. મહારાજની સ્મૃતિ માટે તથા જીવદયા માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું. પૂ. કન્ડેયાલાલજી મહારાજ ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકની ઉજવણી થાય તે પ્રસંગે જ કાળધર્મ પામ્યા. આથી એમના મુખ્ય શિષ્ય પૂ. શ્રી વિનયમુનિજીએ જાહેર કર્યું કે પૂજ્ય મહારાજશ્રીની સ્વર્ગારોહણ તિથિ દર વર્ષે ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકદિન સાથે જોડી દઈ પોષ વદ (ગુજરાતી માગશર વદ) ૮, ૯ અને ૧૦ના રોજ ઊજવવી અને તે દિવસે યથાશક્તિ આયંબિલ આદિ તપશ્ચર્યા કરવી. પૂ. કન્ડેયાલાલજી મહારાજનો જન્મ જેસલમેરમાં વિ. સં. ૧૯૭૦ના ચૈત્ર સુદ ૯ના રોજ એટલે કે રામનવમીના પર્વ દિવસે બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમના પિતા શ્રી ગોવિંદસિંહજી મારવાડમાં આવેલા જસનગર (કેન્કિંદ) રાજ્યના પુરોહિત હતા. એમની માતાનું નામ જમનાદેવી હતું. મહારાજશ્રી જ્યારે ચાર વર્ષના હતા ત્યારે એ વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને એમનાં માતાપિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. આથી ચાર વર્ષની ઉંમરે તેઓ અનાથ થઈ ગયા હતા. તેમના એક મોટા ભાઈ અને મોટી બહેન એમ ત્રણ જણ રહ્યાં હતાં. બધાં નાની ઉંમરનાં હતાં. માતાપિતાના અવસાન પછી એમના એક સંબંધી તેઓને કેન્કિંદ (ઘોડાવડ) લઈ આવ્યા, કારણ કે વડીલોની જમીનદારી ત્યાં હતી. આ રીતે સગાંઓના આશ્રયે તેઓ સાત વર્ષની ઉમર સુધી કેન્કિંદમાં રહ્યા. એ દિવસોમાં બાળક કન્ડેયાલાલ તેજસ્વી અને ચબરાક જણાતાં કુસુમશ્રીજી નામનાં એક મહાસતીજીએ એ વિશે શ્રી પૂનમચંદજી ખાબિયા નામના શ્રાવકને ભલામણ કરી કે બાળકને શ્રી પ્રતાપચંદજી મહારાજ પાસે લઈ જવામાં આવે. એ પ્રમાણે વિ. સં. ૧૯૭૮માં શ્રી પૂનમચંદજી ખાબિયા કન્ડેયાલાલને છોટા પાદુ નામના ગામે લઈ ગયા. ત્યાં સ્થાનકવાસી આચાર્ય સ્વમીદાસની પરંપરાના શ્રી ફતેહચંદજી મહારાજ તથા મુનિ શ્રી પ્રતાપચંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy