SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ પ્રભાવક સ્થવિરો જાળવીને એમના શબ્દોને પકડવા પ્રયત્ન કરતા. કેટલાય લોકોને એમના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકનો એવો દૃઢ ભક્તિભાવ રહેતો કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તો પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરો ઉત્સાહ, સંતોષ અને ધન્યતા અનુભવતા. પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રદાન, ઉપાધાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી, ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતો હતો. એમની પ્રેરણાથી સંઘ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કોઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એકસાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. એમના પોતાના ૧૧૭ જેટલા શિષ્યો હતા. પ્રશિષ્યો મળીને એમને હાથે ૨૫૦થી વધુ મુનિઓને અને ૫૦૦થી વધુ સાધ્વીઓને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનમાં ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-શિષ્યાઓ સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યશ્લોક નામ સુદીર્ઘ કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય-ભગવંત પોતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલતાને પણ તેઓ ચલાવી લેતા નહિ. પરંતુ પોતાના દીક્ષિત સાધુઓને તેઓ પોતાની પ્રે૨ક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તો આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભનો કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટો કરાવી ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી. પૂ. આચાર્ય-ભગવંત શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy