SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ પ્રભાવક સ્થવિરો બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. એ દિવસોમાં જૈન શાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના એક પંડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર બહુ સારો પડ્યો હતો. એમનો એક જુદી કોટિનો અનુયાયીવર્ગ ઊભો થવા લાગ્યો હતો. એમના શિષ્યોમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજ કી જય'ના જયનાદ એમનાં ભક્તજનો પોકારતાં. એમના અનુયાયી વર્ગનો પંડિત લાલન પ્રત્યેની ભક્તિનો અતિરેક એટલી હદ સુધી થઈ ગયો કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધિગિરિ-શત્રુંજયની તળેટીમાં પચીસમા તીર્થકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણો ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમોદ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે પણ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. શ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું હતું. એમણે શ્રી સાગરજી મહારાજ સાથે વિચાર-વિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તેવો નિર્ણય કર્યો હતો. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને શ્રી સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતનો ચુકાદો લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યો હતો. એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ ભક્તોના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયો હતો. ત્યારપછી તો પંડિત લાલન અમદાવાદમાં શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો. તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે વિષયોમાં શ્રી રામવિજયજી મહારાજ પોતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી, તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy