SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ चरणानुयोग उद्देसिय पाण- भोयण सहिय पडिग्गह गहण णिसेहो - १५२३. से णं परो णेत्ता वदेज्जा औदेशिक आहार- पाणी युक्त पात्र ग्रहण निषेध “માઽસંતો સમળા ! મુદ્દુત્તાં-મુદ્દુત્તાં અન્છાહિનાવ-તાવ અન્ને ગમાં વા-ગાવ-સામં વા उवकरे वा, उवक्खडेंसु वा, तो ते वयं आउसो ! सपाणं सभोयणं पडिग्गहं दासामो तुच्छए पडिग्गहे दिण्णे समणस्स णो सुट्टु णो साहु भवति ।” से पुव्वामेव अलोएज्जा “આડો ! ત્તિ વા, મફળી ! ત્તિ વા, જો જીજુ મે कप्पति आधाकम्मिए असणे वा जाव- साइमे वा भोत्तए वा, पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि, अभिकंखसि मे दाउं एमेव ર્યાદિ।” से सेवं वदंतस्स परो असणं वा जाव - साइमं वा, उवक्करेत्ता, उवक्खडेत्ता सपाणं सभोयणं पडिग्ग दलज्जा, तहप्पगारं पडिग्गहं अफासुयं - जाव णो पडिगाहेज्जा । -. મુ. ર, ૬. ૬, ૩. ૬, મુ. ૮ समणाइ उद्देसिय णिम्मिय पायस्स विहि णिसेहो१५२४. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पाय નાગેન્ના-વવે સમા-માદળ-પ્રતિષિ-વિવિળवणीमए समुद्दिस्स- जाव - आहट्टु चेएइ । Jain Education International तं तप्पारं पायं अपुरिसंतरकडं, अबहिया णीहडं, अणतट्ठियं, अपरिभुत्तं अणासेवियं अफासुयं - जावणो पडिगाहेज्जा । વિધિ નિષેધ કલ્પ - ૩ अह पुण एवं जाणेज्जा - पुरिसंतरकडं, बहिया ળીદડ, અન્નષ્ક્રિય, પરમુન્ન ઞસેવિયં ખાતુર્ય-નાવपडिगाहेज्जा । આ. સુ. ૨, મૈં. ૬, ૩. ૪, મુ. ૬૬૨ () सूत्र १५२३-२४ ઔશિક આહાર પાણી સહિત પાત્ર ગ્રહણનો નિષેધ : ૧૫૨૩. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને એમ કહે કે - 'હે આયુષ્મન્ શ્રમણ ! થોડીવાર ઊભા રહો, અમે હમણાં જ અશન યાવત્ સ્વાદિમ આહાર તૈયા૨ કરીએ છીએ, તૈયાર થયા પછી પાત્રમાં ભોજન પાણી ભરીને આપ આયુષ્યન્તને આપીએ છીએ. કારણ કે સાધુને ખાલી પાત્ર આપવું અમારા માટે સારુ અને યોગ્ય નથી.' એવું વચન સાંભળી શ્રમણ પહેલેથી જ કહી દે કે - 'હે આયુષ્મનું ભાઈ ! કે બહેન ! મારા માટે આધાકર્મી અશન યાવત્ સ્વાદિમ ભોજન પાણી બનાવેલાં લેવા કલ્પે નહીં, માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોય મ તો એમ જ ખાલી આપી દો.' સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ અશન યાવત્ સ્વાદિમ ભોજન પાણી તૈયાર કરી, ભર્યું પાત્ર આપે તો તે પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલાં પાત્રનો વિધિ-નિષેધ : ૧૫૨૪,સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને વીપકના ઉદ્દેશ્યથી તે બનાવેલ છે યાવત્ અન્ય સ્થાનેથી લાવેલ છે. તો એવા પ્રકા૨ના પાત્ર જે અન્ય પુરુષોને દીધેલાં ન હોય, બહાર કાઢેલાં ન હોય, સ્વીકાર કરેલાં ન હોય, ઉપયોગમાં લીધેલા ન હોય અથવા વાપરેલાં ન હોય તો એવા પાત્રને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે - આ પ્રકારનું પાત્ર અન્ય પુરુષને દીધેલું છે, બહાર કાઢેલું છે, દાતાનું સ્વીકારેલું છે, ઉપભોગમાં લીધેલું છે તથા વાપરેલું છે, તો તેને પ્રાસુક સમજી યાવત્ ગ્રહણ કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy