SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ '' ' -- - છે કે આચાર્યશ્રી આનંદસરષિજી મ. ન સલિત પરિચય : : તેઓ નાની ઉંમરમાં જ દીક્ષિત થઈ ગયા. તે શ્રમણસંઘના બીજા પાટવી આચાર્ય હતા. તેમની આજ્ઞામાં ૧૧૦૦ સાધુ-સાધ્વી વિચરણ કરતા હતા. તે બહુજ જ્ઞાની-સરલ સ્વભાવી હતા. તેમની જ્ઞાન પ્રત્યે વિશેષ લાગણી હતી. તેમની પ્રેરણાથી ઘણીજ શિક્ષણ સંસ્થાઓ થઈ, જેમાં પાથડ બોર્ડ દ્વારા દર વર્ષે હજારો જ્ઞાનાર્થીઓ લાભ લે છે. તેમના ચરણોમાં કમલ હતો. તેઓ સતત સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. તેમની મુખાકૃતિ તેમજ બેસવાની જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ - ઉપાધ્યાય શ્રીજીની છે. જે લોકો જુએ છે તે કહે છે કે આનંદઋષિજી જેવા જ છે. તેમની ઉપાધ્યાયજી ઉપર વિશેષ કૃપાદૃષ્ટિ હતી. તેઓ દરરોજ એકાસણા કરતા હતા. તેમને ક્રિયામાં વિશેષ રૂચિ હતી અને સાથે જ્ઞાન પ્રત્યે એટલોજ આદરભાવ પણ હતો. તે કારણે જ આ આચારધર્મ વિષયનો ગ્રંથ ચરણાનયોગ” નો પહેલો ભાગ અર્પણ કરવામાં આવે છે. • ગજ્યમાલાના આધ પ્રેરકો. ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ.નું નામ કિયોદ્વારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્ય શ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જ સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દીક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. એમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા જેમની ૮૦ વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જેન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતા. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થમાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ Jain Education International YO For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy